કેસરી યાને કે ભગવા રંગનો ડ્રેસ પહેરીને આવી રહેલા આ બાળકોને જોઈને કોઈ રાજકીય વ્યક્તિને કદાચ એમ થાય કે શાળાના આ બાળકો કોઈ પક્ષના કાર્યક્રમાં ભાગ લઈને આવી રહ્યા હશે કે ભાગ લેવા જઈ રહ્યાં હશે. કેમ કે તમે આજ સુધી શાળાનાં બાળકોના શરીર અનેક રંગના ડ્રેસ જોયા હશે. પરંતુ અહીં જે છે તેવો કેસરી રંગનો ડ્રેસ તમે ક્યારેય નહીં જોયો હોય.
રંગોનું પણ એક વિજ્ઞાન હોય છે. તો કેટલાંક રંગો લોકભાવનાઓ સાથે જોડાયેલ હોય છે. તો કેટલાંક રંગો રાજકારણ સાથે કે પક્ષો સાથે સંકળાયેલા હોય છે. રંગમાં છેડછાડ ક્યારેક રંગમાં ભંગ પાડી શકે છે. પરંતુ અહીં આજે અમે તમને એક જાણીતા રંગ વિશે વાત કરવા જઈ રહ્યાં છીએ જે રંગથી એક શાળાના વિદ્યાર્થીના ડ્રેસ રંગાયા છે. શું એ રંગાયેલા ડ્રેસનું કારણ તે જોઈએ આ અહેવાલમાં.
કેસરી યાને કે ભગવા રંગનો ડ્રેસ પહેરીને આવી રહેલા આ બાળકોને જોઈને કોઈ રાજકીય વ્યક્તિને કદાચ એમ થાય કે શાળાના આ બાળકો કોઈ પક્ષના કાર્યક્રમાં ભાગ લઈને આવી રહ્યા હશે કે ભાગ લેવા જઈ રહ્યાં હશે. કેમ કે તમે આજ સુધી શાળાનાં બાળકોના શરીર અનેક રંગના ડ્રેસ જોયા હશે. પરંતુ અહીં જે છે તેવો કેસરી રંગનો ડ્રેસ તમે ક્યારેય નહીં જોયો હોય. એટલે તમને એવી શંકા થાય તે વ્યાજબી છે. બાળકો પણ કહે છે ડ્રેસનો રંગ બદલી નખાયો.
અહીંયા કેસરી રંગે બદલી સૌની વિચારધારાઃ
વર્ષોથી આ શાળાનો ડ્રેસ વાદળી રંગનો હતો. પરંતુ શાળાના વહીવટી તંત્રએ હવે ડ્રેસનો એ રંગ બદલીને વાદળીમાંથી કેસરી કરી દીધો છે. તો ભગવા રંગને બલિદાનની ભાવના સાથે જોડનારા લોકોને લાગતું હશે કે, આ વળી આવી નાની ઉંમરે બલિદાન (sacrifice) શાનાં? પરંતુ અહીં વાત સાચી છે. આ ભગવા રંગ સાથે આપણે હંમેશા ત્યાગ અને બલિદાનની જ ભાવના જોડી દીધી છે. એટલે આ રંગ સાધુ સંતોના વસ્ત્રાો, મંદિરો અને કેટલાંક પક્ષોની વિચારધારાની ઓળખ સિવાય બીજે ક્યાંય જોવા મળતો નથી. પરંતુ આજે બાળકોના પોશાક પર સામૂહિક રીતે આ રંગ જોવા મળ્યો તો ઘણાને નવાઈ લાગી કે આખરે આ શાળાનો ડ્રેસ કેસરી રંગનો પસંદ કરવા પાછળનું કારણ છે શું?
આખરે ભગવા રંગ પાછળની શું છે સ્કૂલની વિચારધારા?
ત્યારે આજે અમે આ કેસરી રંગના સ્કૂલ ડ્રેસનું રહસ્ય તમને જણાવીશું. મહિસાગર જિલ્લાના કડાણા તાલુકાના ડીટવાસ (Ditwas)માં આવેલી આ સરકારી પ્રાથમિક શાળા બે મકાનોમાં વિભાજિત છે. શાળાના બે બહુમાળી બિલ્ડીંગ વચ્ચે થઈને રાજ્ય ધોરીમાર્ગ એટલે કે સ્ટેટ હાઇવે પસાર થાય છે અને શાળામાં અભ્યાસ કરી રહેલા 359 બાળકો એક બિલ્ડીંગમાંથી બીજા બિલ્ડિંગમાં વારંવાર આવા-જા કરતા હોય છે. ત્યારે શાળામાં રિસેષ દરમિયાન અથવા શાળાએ આવતા જતા આ હાઈવે પરથી જ પસાર થવું પડે છે.
અહીં પહેલાંનો જે ડ્રેસકોડ વાદળી રંગમાં હતો તેના કારણે દૂરથી આવતા વાહનચાલકો રોડ ક્રોસ કરતા બાળકોને સહેલાઈથી જોઈ શકતા ન હતા. પરિણામે રોડ અકસ્માતની સંભાવના વધી જતી હતી. જેના કારણે શાળાના બાળકોનો આ ડ્રેસ ભગવા એટલે કે ડાર્ક કેસરી રંગનો કરી દેવામાં આવ્યો છે. જેના કારણે દૂરથી આવનાર વાહનચાલકો બાળકોને જોઈ શકે અને અકસ્માતની સંભાવના ઘટી ગઈ છે. હાલના આ સમયમાં ભગવો રંગ એ ધાર્મિક રંગનું પ્રતીક બની ગયો છે ત્યારે એક મુસ્લિમ આચાર્ય દ્વારા માત્ર શિક્ષણ અને વ્યવસ્થા પૂરતું જ ન વિચારી બાળકોની સુરક્ષા માટે ગહન અધ્યયન કરી આ ડ્રેસનો રંગ ભગવો પસંદ કર્યો એ ખરેખર બિરદાવવા લાયક છે.