પીએમ મોદી પાંચ નવેમ્બરે કેદારનાથ દર્શન કરવા પહોંચવાના છે ત્યારે તેના પહેલા ઉત્તરાખંડના સીએમ પુષ્કરસિંહ ધામી કેદારનાથ પહોંચ્યા છે.
કેદારનાથ મંદિરના પૂરોહિતોએ PM મોદીની વિરોધ કર્યો
પૂરોહિતો સાથે સકારાત્મક વાતચીત થઈ છે : ધામી
ત્રિવેન્દ્ર સિંહ કહ્યું કે, દેવસ્થાનમ બોર્ડ જરૂરી છે.
કેદારનાથ મંદિરના પૂરોહિતો PM મોદીની વિરોધ કર્યો
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 5મી નવેમ્બરે કેદારનાથ જશે, પરંતુ તેમની મુલાકાતનો વિરોધ શરૂ થઈ ગયો છે. ત્યાંના પૂરોહિતો પીએમ મોદીની આ મુલાકતનો વિરોધ કરી રહ્યાં છે. જે બાદ બુધવારે ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી પૂરોહિતોને મનાવવા કેદારનાથ ધામ પહોંચ્યા હતા. કહેવામાં આવી રહ્યું છે કે સીએમ ધામીએ લાંબા સમય સુધી બંધ રૂમમાં પૂરોહિતો સાથે ચર્ચા કરી. મહત્વનું છે કે, બે દિવસ પહેલા પૂર્વ મુખ્યમંત્રી ત્રિવેન્દ્ર સિંહ રાવત અને કેબિનેટ મંત્રી ધનસિંહ રાવત સહિત ભાજપના પ્રદેશ અધ્યક્ષે કેદારનાથમાં ઉગ્ર વિરોધ કર્યો હતો. પૂરોહિતોએ પૂર્વ સીએમ ત્રિવેન્દ્ર સિંહ રાવતને પણ દર્શન કરવા દીધા ન હતાં. આ પછી પૂરોહિતોએ પીએમ મોદીની મુલાકાતનો વિરોધ કરવાનો નિર્ણય લીધો હતો.ત્યારથી ઉત્તરાખંડ સરકાર અવઢવમાં છે.
પૂરોહિતો શા માટે વિરોધ કરી રહ્યાં છે ?
ઉલ્લેખનીય છે કે, જાન્યુઆરી 2020માં ત્રિવેન્દ્ર સિંહ રાવતની સરકારે ચાર ધામ દેવસ્થાનમ બોર્ડની રચના કરી હતી. આ સાથે ચાર ધામ સહિત અન્ય 51 મંદિરોનું નિયંત્રણ રાજ્ય સરકાર પાસે આવી ગયું હતું. ઉત્તરાખંડમાં કેદારનાથ, ગંગોત્રી, યમુનોત્રી અને બદ્રીનાથ ચાર ધામ છે. ત્યારથી પૂજારી અને પાંડા સમુદાય આ નિર્ણયને પાછો ખેંચવાની માગ પર અડગ છે. જો કે, ધામીએ મુખ્યમંત્રી બનતાની સાથે જ સમિતિની રચના કરી હતી અને રિપોર્ટના આધારે નિર્ણય લેવાનું વચન આપ્યું હતું. જો કે, 30 ઓક્ટોબર સુધી પણ કોઈ નિર્ણય ન લેવાતાં દેવસ્થાનમાં બોર્ડનો મુદ્દો ફરી ગરમાયો હતો. અને પૂરોહિતોએ આંદોલન શરૂ કર્યુ હતું. પૂરોહિતોએ વડાપ્રધાન મોદીની મુલાકાતનો પણ વિરોધ કરવાનો નિર્ણય લીધો છે.
પૂરોહિતો સાથે સકારાત્મક વાતચીત થઈ છે : ધામી
પ્રધાનમંત્રીના આગમન પહેલા પૂજારીઓનું આ રીતે આંદોલન કરતાં સરકાર માટે ચિંતાનો વિષય બની ગયો હતો. જેને લઈને મુખ્યમંત્રી ધામીએ આજે કેદારનાથ પહોંચીને પૂરોહિતો સાથે બંધ ઓરડે વાતચીત કરી હતી.જે બાદ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, આ વાતચીત ઘણા અંશ સુધી સકારાત્મક રહી છે. અને પૂરોહિતોએ પ્રધાનમંત્રીના સ્વાગત માટે ઉત્સુક છે. આ સાથે મુખ્યમંત્રીએ કેદારનાથ પુનઃ નિર્માણના કાર્યોનું પણ નિરીક્ષણ કર્યું હતું
ત્રિવેન્દ્ર સિંહ કહ્યું કે, દેવસ્થાનમ બોર્ડ જરૂરી છે.
પૂર્વ મુખ્યમંત્રી ત્રિવેન્દ્ર સિંહ અઘ્યક્ષતામાં દેવસ્થાનમ બોર્ડનું સંગઠન થયું હતું. બીજી બાજુ રાવત જ્યારે પહોંચ્યા તો તેમને પણ દર્શન ન કરવા દીધા હતાં. જો કે, વિરોધ હોવા છતાં રાવત 7 કલાક સુધી કેદારનાથ ધામમાં રહ્યાં હતાં.તેમણે વધુમાં ઉમેર્યુ હતું કે, દેવસ્થાનમ બોર્ડથી દેશ જ નહીં પરંતૂ પૂરા વિશ્વના તમામ હિન્દુ આસ્થાવાનોને આનો ફાયદો થશે