અત્યાર સુધીમાં કેન્દ્ર સરકારે રસી માટે 35 હજાર કરોડમાંથી 6 હજાર કરોડ રૂપિયા ખર્ચ્યા છે
એક રિપોર્ટ અનુસાર સરકાર હાલ 180 થી 190 કરોડ ડોઝ ખરીદી શકે છે
195 કરોડ ડોઝની જરુર પડી શકે
બન્ને રસી મફત ન આપવા પાછળ શું છે કારણ
એક રિપોર્ટ અનુસાર સરકાર હાલ 180 થી 190 કરોડ ડોઝ ખરીદી શકે છે
દેશમાં કોરોનાની રસી માટે 21 જૂનથી નવી નીતિ લાગુ પડવા જઈ રહી છે અને આ કારણે કેન્દ્ર સરકાર અને રસી ઉત્પાદન કરતી કંપનીઓ વચ્ચે રસીની કિંમતને લઈને ભાવમાં વધારો કે ઘટાડો કરી શકે છે. અત્યાર સુધીમાં કેન્દ્ર સરકારે 35 હજાર કરોડમાંથી 6 હજાર કરોડ રૂપિયા ખર્ચ્યા છે. એક રિપોર્ટ અનુસાર સરકાર હાલ 180 થી 190 કરોડ ડોઝ ખરીદી શકે છે. જેનાથી વેક્સિન લેવામાં બાકી રહેલ 75 ટકા લોકોને રસી મળશે. પહેલા આ આંકડો લગભગ 50 ટકા જેટલો જ હતો. પણ જો સરકાર આટલા બધા ડોઝ ખરીદે તો સરકારને જે કિંમતમાં વેક્સિન મળી રહી છે, તે કરતાં લગભગ વધુ કે ઓછી કિંમતમાં વેક્સિન મળશે.સૂત્રોનું કહેવું છે કે વેક્સિનની કિંમતમાં વધારો થશે, કારણકે રાજય સરકારે કેન્દ્ર સરકારને પહેલા વધુ કિંમત આપેલ છે. રાજ્યોએ 300 રૂપિયામાં કોવિશિલ્ડ અને કોવેક્સિન 400 રૂપિયામાં ખરીદી. જ્યારે કેન્દ્રે આ બંને વેક્સિન 150 રૂપિયામાં જ ખરીદી હતી.
195 કરોડ ડોઝની જરુર પડી શકે
સરકારને આશા છે કે આ ફાઇઝર રસીની ઉપલબ્ધતાથી સરકારી રસીકરણ કાર્યક્રમનો લોડ ઓછો થશે. જે લોકો સક્ષમ છે તે ખાનગી હોસ્પિટલમાં જઈને રસી લગાવશે. કેન્દ્રીય અધિકારીએ કહ્યુ કે ભારતમાં રસીનું બિલ 34 હજાર કરોડથી વધારે હોવું જોઈએ. એક અનુમાન લઈએ તો હજું 50 હજારો કરોડથી વધારે છે. ભારતને 95 કરોડની વસ્તીને કવર કરવાની છે. એટલે કે વસ્તીને ધ્યાનમાં રાખીને 195 કરોડ ડોઝની જરુર પડી શકે છે.
બન્ને રસી મફત ન આપવા પાછળ શું છે કારણ
ફાઈઝર અને મોર્ડનાની રસી મફત ઉપલબ્ધ ન કરાવવા પાછળ એક મોટું કારણે કોલ્ડ ચેન મેનેજમેન્ટ છે. બન્ને રસીને 0 ડિગ્રી સેલ્સિયસની નીચે તાપમાન પર સ્ટોર કરવાનું રહે છે. એવું ફક્ત મોટા હોસ્પિટલોમાં શક્ય છે. એટલે કે જો સરકાર આ રસી મફતમાં આપવા ઈચ્છે તો તેને મોટા પાયે દેશમાં કોલ્ડ ચેન પર રોકાણ કરવું પડશે. અધિકારીઓએ જણાવ્યુ કે આમ કરવાની જગ્યાએ લોકોના રસીકરણ માટે રસી પર ખર્ચ થવો જોઈએ.