ભારતીય ગ્રાહકોને ઈંધણમાં વધતી કિંમતોમાં રાહત મળી શકે
માંગ વધવાના કારણે તેલના ભાવ વધ્યા
દેશમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં સતત વધારો થઈ રહ્યો છે. તેલની વધતી કિંમતોને લઈને વિપક્ષ પ્રહાર કરી રહ્યું છે. ત્યારે લોકો સવાલ કરી રહ્યા છે કે આખરે ક્યારે ભાવમાં ઘટાડો ક્યારે થશે. તેલની વધતી કિંમતોને લઈને આ વખતે પેટ્રોલિમય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને નિવેદન આપ્યું છે. પ્રધાને કહ્યું કે તેમણે પેટ્રોલિયમ ઉત્પાદક દેશોને તેલનું ઉત્પાદન વધારવા માટે કહ્યું છે. તો ભારતીય ગ્રાહકોને ઈંધણમાં વધતી કિંમતોમાં રાહત મળી શકે.
માંગ વધવાના કારણે તેલના ભાવ વધ્યા
વારાણસીમાં મીડિયા સાથે વાતચીત કરતા તેલ મંત્રીએ કહ્યું કે ગત વર્ષ એપ્રિલમાં પ્રમુખ તેલ ઉત્પાદક દેશોએ ઉત્પાદનમાં ઘટાડો કરવાનો નિર્ણય કર્યો. કેમ કે કોરોનાની મહામારીના ચાલતા માંગમાં ઘટાડો આવ્યો હતો. આ દેશ વધારે કમાણીના ચક્કરમાં ઓછા ઈંધણનું ઉત્પાદન કરી રહ્યા છે. જ્યારે હજું પણ ઈંધણનું ઉત્પાદન ઓછું કરવામાં આવી રહ્યું છે. ઈંધણની માંગ આ સમયે વધી રહી છે. આનું કારણ એ છે કે હવે કોરોના વાયરસની જે સ્થિતિ પહેલા હતી તેવી નથી. માંગ વધારે વધવાના કારણે દેશમાં પેટ્રોલ ડીઝલના ભાવ વધ્યા છે.
એપ્રિલ સુધી ભાવ ઓછા થવાની આશા
દેશમાં પેટ્રોલ ડીઝલ અને ગેસના ભાવ ક્યારે ઓછા થશે. જ્યારે આ સવાલ પૂછવામાં આવ્યો તો મંત્રીએ કહ્યું કે આનું કોઈ અનુમાન લગાવી શકાય નહીં પરંતુ કુકિંગ ગેસ, ડીઝલ અને પેટ્રોલના ભાવ માર્ચ અથવા એપ્રિલ સુધી ઓછા થઈ શકે છે.
શુક્રવારે કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું હતું કે ઠંડીની સિઝન પુરી થતાં જ તેલની કિંમત ઓછી થઈ જશે, તેમણે કહ્યું કે માંગ વધવાના કારણે ભાવ વધારે છે. ઠંડીમાં ઘણીવાર એવું થાય છે તેમણે આશ્વાસન આપ્યું કે જલ્દી જ કિંમત ઓછી થશે.