રાજયમાં સીંગતેલના ભાવમાં છેલ્લા બે મહીનાથી ભારે ઉતાર - ચડાવ જોવા મળ્યો છે. રાજકોટમાં સીંગતેલના ભાવમાં ડબે રુપીયા દસનો ધટાડો થયો છે. દર વર્ષે સાતમ આઠમના તહેવારોમાં તેલનો ખેલ જોવા મળે છે. સામાન્ય રીતે મગફળી સીજનમા સીંગતેલના ભાવ તેલના ડબ્બો 1400 થી 1450 રુપીયા હોય છે બાદમા સતત સીંગતેલના ભાવમાં વઘારો થતો જોવા મળે છે.
આજે રાજકોટની બજારમા સીંગતેલનો ભાવ 1900 રુપીયા ડબ્બે પંહોચી ગયો છે. પહેલા બસ્સો રુપીયાનો ડબ્બે વઘારો કરવામાં આવ્યો હતો, ત્યારબાદ દસથી વીસ રુપીયાનો ધટાડો કરી તેલનો ખેલ પાડવામાં આવી રહ્યો છે.
જો કે સૌરાષ્ટ્ર ઓઇલ મીલ એસોશિસિયનના ચેરમેન સમીર શાહના કહેવા મુજબ સાતમ - આઠમના તહેવારો અને સીંગતેલના ભાવને કોઇ લેવા દેવા નથી. તહેવારોની કોઇ ખાસ અસરો થતી નથી.
ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં હાલ ચારે તરફ ભારેથી અતિભારે વરસાદ થઇ રહ્યો છે. રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં આશરે 75 ટકા જેટલી વાવણી પૂર્ણ થઇ ગઇ છે. રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રને મગફળીનું હબ માનવામાં આવે છે. ત્યારે સીંગતેલના ભાવમાં થયેલ વધારાની અસર ગૃહિણીઓના બજેટ પર જરૂર પડે તેવું લાગી રહ્યું છે.