ભારતીય બજારોમાં સોના-ચાંદીના ભાવમાં ઘટાડો નોંધાયો છે. ઇન્ડિયા બુલિયન એન્ડ જવેલર્સ એસોસિયેશનના જણાવ્યા અનુસાર 999 શુદ્ધતાવાળા સોના અને ચાંદીની કિંમતમાં આટલો થયો છે.
ભારતીય બજારોમાં સોના-ચાંદીના ભાવમાં નોંધાયો ઘટાડો
8955664433 પર મિસ કોલ કરીને જાણી શકાય છે સોના-ચાંદીના ભાવ
www.ibja.com વેબસાઈટ પરથી મેળવી શકાય છે અપડેટ્સ
Gold And Silver Price On 17 June 2021
સોના ચાંદી બંને સસ્તા થયા છે. ભારતીય બજારમાં સોનાનો દર ઘટતા ચાંદીના ભાવમાં પણ ઘટાડો થયો છે. ઇન્ડિયા બુલિયન એન્ડ જવેલર્સ એસોસિયેશનના જણાવ્યા અનુસાર 999 શુદ્ધતાવાળા સોનાની કિંમત 10 ગ્રામ દીઠ 47611 રૂપિયા છે, જેનો ભાવ એક દિવસ અગાઉ એટલે કે બુધવા સાંજે 10 ગ્રામ દીઠ 48397 રૂપિયા હતા, એટલે કે તે જ સમયે, 17 જૂને ચાંદીની કિમતમાં પણ ઘટાડો થયો છે. 999 શુદ્ધતાવાળી ચાંદીનો ભાવ 1 કિલોગ્રામ દીઠ 70079 રૂપિયા છે. જે બુધવારે, 16 જૂનની સાંજે 1 કિલોગ્રામ દીઠ 70079 રૂપિયા હતું.
બુધવારની સરખામણીમાં આજે સોના-ચાંદીના ભાવમાં થયેલા ફેરફારના આંકડા નીચે મુજબ છે.
- 999 શુદ્ધતાવાળા સોનાની કિંમત 10 ગ્રામ દીઠ 47611 રૂપિયા થઈ છે.
- 995 શુદ્ધતાવાળા સોનાનું રેટ 10 ગ્રામ દીઠ 47420 રૂપિયા થયું છે.
- 916 શુદ્ધતાવાળા સોનાનો ભાવ 10 ગ્રામ દીઠ 43612 રૂપિયા થયો છે.
- 750 શુદ્ધતાવાળા સોનાની કિંમત 10 ગ્રામ દીઠ 35708 રૂપિયા થઈ છે.
- 585 શુદ્ધતાવાળા સોનાનું રેટ 10 ગ્રામ દીઠ 27852 રૂપિયા થયું છે.
- 999 શુદ્ધતાવાળી ચાંદીનો ભાવ 1કિલોગ્રામ દીઠ 70079 રૂપિયા થયો છે.
મિસ કોલથી જાણો સોના-ચાંદીના ભાવ
ibjaની તરફથી કેન્દ્રીય સરકારે જાહેર કરેલી રજાઓના સિવાય પણ શનિવારે અને રવિવારે સોના-ચાંદીના રેટ જાહેર કરવામાં આવતા નથી. 22 કેરેટ 18 કેરેટ ગોલ્ડ જ્વેલરીના છૂટક દર જાણવા તમે 8955664433 પર મિસ કોલ આપી શકો છો. ટૂંક સમયમાં SMS દ્વારા ગોલ્ડ જ્વેલરીના રેટ તમને પ્રાપ્ત થઈ જશે. આના સિવાય જો તમારે સતત Gold-Silver Priceના અપડેટ્સની જાણકારી મેળવી હોય તો તમે www.ibja.com વેબસાઈટની મુલાકાત લઈ શકો છો.
કેવી રીતે ઓળખવી સોનાની શુદ્ધતા?
ઇન્ડિયા બુલિયન એન્ડ જવેલર્સ એસોસિયેશન જણાવ્યું છે કે 24 કેરેટ ગોલ્ડની જ્વેલરી નથી બનતી. સામાન્ય રીતે જ્વેલરી માટે 22 કેરેટ સોનાનો ઉપયોગ કરવામાં આવે છે, જેમાં સોનું 91.66 ટકા માત્રામાં હોય છે. જો તમે 22 કેરેટ ગોલ્ડની જ્વેલરી ખરીદો છો તો તમાઋ માટે આ જાણવું મહત્વનું છે કે તેમાં 22 કેરેટ સોનાની સાથે 2 કેરેટ અન્ય મેટલ્સનું મિશ્રણ પણ કરવામાં આવ્યું છે. ગોલ્ડ અને સિલ્વર જ્વેલરીમાં તેની શુદ્ધતા ઓળખવા માટે હોલમાર્કથી સંકળાયેલા પાંચ પ્રકારના ચિહ્નો હોય છે અને આ ચિહ્નો જ્વેલરીમાં આપેલા હોય છે. જો 22 કેરેટની જ્વેલરી હશે તો તેમાં 916, 21 કેરેટની જ્વેલરી પર 875 અને 18 કેરેટની જ્વેલરી પર 750 લખેલું હશે. બીજી તરફ, જો 14 કેરેટની જ્વેલરી હોય, તો તેમાં 585 લખવામાં આવશે. તમે પોતે પણ આ નિશાન સોના-ચાંદીના દાગીના પર સરળતાથી જોઈ શકો છો તેથી તમને ક્યારે સોના-ચાંદીના દાગીના પર શંકા થાય. ઓરીજનલ હોલમાર્કની બાજુમાં ભારતીય માનકોના બ્યુરોનું ત્રિકોણાકાર ચિહ્ન હોય છે.