દિલ્લીની નવી આબકારી નીતિ કૌભાંડ મામલે આમ આદમી પાર્ટીના વરિષ્ઠ અને ડે. સીએમ મનીષ સિસોદીયા પર ચાલી રહેલી સીબીઆઈની પૂછપરછ પૂરી થઇ ચુકી છે. સીબીઆઈએ સોમવારે 9 કલાકથી પણ વધુ સમય પૂછપુરછ કરી હતી. પૂછપરછ પૂરી થયા બાદ સીબીઆઈ ઓફીસમાંથી નીકળીને સિસોદીયાએ મીડિયા સામે કહ્યું કે મારી સામેનો આખો કેસ ખોટો છે. તેમણે કહ્યું કે ભાજપના લોકો કહે છે કે કૌભાંડ થયું છે, પરંતુ કોઈ કૌભાંડ થયું નથી. પૂછપરછ દરમિયાન મને AAP છોડવાનું દબાણ કરવામાં આવ્યું હતું. કહ્યું હતું કે તમે જો આપ નહીં છોડો તો આ કેસ આમ જ ચાલતો રહશે. મને એ પણ કહેવામાં આવ્યું હતું કે મને તે લોકો મુખ્યમંત્રી બનાવી દેશે.
Sisodia leaves CBI headquarters after 9-hour questioning, claims "was asked to quit AAP"
મારી સામેનો કેસ ખોટો
મનીષ સિસોદીયાએ કહ્યું કે નવી એક્સાઇઝ પોલીસીમાં કૌભાંડની વાત કરવામાં આવે છે. હવે જ્યારે હું સીબીઆઈ ઓફીસમાં ગયો ત્યારે ખબર પડી કે આ તો કોઈ કૌભાંડ છે જ નહિ. અને સમગ્ર કેસ ખોટો છે. મામલો દિલ્હીમાં ઓપરેશન લોટસને સફળ બનાવવાનો છે. ત્યાં નવ કલાકના રોકાણ દરમિયાન મને આ બધી બાબતોની જાણ થઈ હતી.
Fake excise case against me is conspiracy to make BJP's 'Operation Lotus' a success in Delhi: Dy CM Sisodia after CBI questioning
સિસોદીયાના જવાબોને બીજા આરોપીઓ સાથે સરખાવવામાં આવશે
મનીષ સિસોદીયાના જવાબોને બીજા આરોપી સાથે પણ વેરીફાઈ કરવામાં આવશે. જો જરૂર પડશે તો ફરી સિસોદીયાને પૂછપરછ માટે બોલવામાં આવશે. દિલ્હી આબકારી નીતિ મામલે CBIએ મનીષ સિસોદિયા અને અન્ય 15 આરોપીઓ વિરુદ્ધ આઈપીસી કલમ 120 બી (ગુનાહિત કાવતરું), 477એ (એકાઉન્ટ્સમાં હેરાફેરી) અને ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમની કલમ હેઠળ કેસ દાખલ કર્યાં છે. સીબીઆઈની એફઆઈઆરમાં સિસોદિયાનું નામ પહેલા નંબર પર છે.
સિસોદીયા પરનો કેસ ખોટો- કેજરીવાલ
મનીષ સિસોદીયા પર ચાલી રહેલા કેસ પર આમ આદમી પાર્ટી ભાજપ અને કેન્દ્ર સરકાર પર આક્રાત્મક બની છે. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને આપના ના નેતાઓએ દાવો કર્યો છે કે નીષ સિસોદીયા પર કરાયેલો કેસ ખોટો છે. આપ નેતા એ કહ્યું કે સિસોદીયા ભગતસિંહના અનુયાયી છે. તે દેશ માટે જેલ જવા થી નથી ડરતા. મનીષ સિસોદીયાએ પોતાના પર લાગયેલા બધા આરોપને નકારી દીધા છે અને કહ્યું કે હું જો કાદાચ જેલમાં પણ ગયો તો પણ આપ નો પ્રચાર યથાવત રહેશે.
CBI issues a statement after quizzing Delhi Dy CM Manish Sisodia for 9 hrs in excise policy case; "CBI strongly refutes these allegations (of Delhi Dy CM Sisodia) & reiterates that his examination was carried out in a professional & legal manner. Probe to continue as per law." https://t.co/7Ex2N0lpWh
આપ નેતા નાટક કરી રહ્યા છે: મનોજ તિવારી
દિલ્હીના સાંસદ મનોજ તિવારીએ કહ્યું કે " આપ નેતા દારૂના કૌભાંડ સંબંધિત પૂછાયેલા સવાલોથી ધ્યાન ભટકવા માટે આવું નાટક કરી રહ્યા છે." તેમણે દવા સાથે કહ્યું કે મનીષ સિસોદિયાએ આબકારી નીતિમાં ભ્રષ્ટાચાર સંબંધિત એક પણ સવાલનો સાચો જવાબ આપ્યો નથી. ભ્રષ્ટાચારનો પર્દાફાશ કરતા દસ્તાવેજી પુરાવા અને સ્ટિંગ વીડિયો છે, પરંતુ તેઓએ હંમેશા આ મુદ્દાને ટાળવાનો પ્રયત્ન કર્યો છે.