એડિટર્સ ગિલ્ડ ઑફ ઇન્ડીયાએ કાશ્મીર ઘાટી સાથેનો સંદેશાવ્યવહાર સંપર્ક બંધ કરવા અને તેના પરિણામ રૂપે ત્યાંનાં વિકાસ અંગેનાં નિષ્પક્ષ રીતે અહેવાલ આપવાની 'મીડિયાની સ્વતંત્રતા અને ક્ષમતામાં ઘટાડા'ને લઇને શનિવારનાં રોજ ચિંતા વ્યક્ત કરી છે.
એડિટર્સ ગિલ્ડ ઑફ ઇન્ડીયા તરફથી આ નિવેદન કેન્દ્ર સરકાર દ્વારા જમ્મુ-કાશ્મીર રાજ્યને વિશેષ દરજ્જો પ્રદાન કરનાર આર્ટિકલ 370ની વધારે જોગવાઇને સમાપ્ત કરવા અને રાજ્યને બે કેન્દ્રશાસિત પ્રદેશો જમ્મુ-કાશ્મીર (jammu and kashmir) તથા લદ્દાખ (Ladakh) માં વહેંચ્યાનાં કેટલાંક દિવસ બાદ આવ્યું છે.
ગિલ્ડે કહ્યું કે, ત્યાં ગયેલ કેટલાંક પત્રકાર ઘાટીથી પરત આવ્યાં બાદ પોતાનાં સમાચારો લખી રહ્યાં છે, પરંતુ આ પાબંધી ત્યાંની સ્થાનીય મીડિયાને માટે સંપૂર્ણ રીતે કઠોર છે કે જે વાસ્તવિકતાને જમીની સ્તર પર પહેલા જોતા અને સાંભળતા હતાં.
નિવેદનમાં કહેવામાં આવ્યું કે સરકારને સારી રીતે ખ્યાલ હતો કે હવે ઇન્ટરનેટ વગર સમાચારોને પ્રકાશિત કરવા એ અંસભવ છે. ગિલ્ડે કહ્યું કે, જમ્મુ-કાશ્મીર સહિત પૂરા દેશની જનતા પ્રત્યે સરકારની આ ફરજ છે કે આ પ્રેસને સ્વતંત્ર રીતે કામ કરવા દે કે જે લોકતંત્રનો મહત્વપૂર્ણ સ્તંભ છે.
એડિટર્સ ગિલ્ડે કહ્યું કે, તેઓ કાશ્મીર ઘાટીની સાથે સંચાર સંપર્કને બંધ રાખવાથી ખૂબ ચિંતિત છે. ગિલ્ડે સરકારને એ અનુરોધ કર્યો કે તેઓ મીડિયા સંચાર સંપર્ક બહાલ કરવા માટે તુરંત પગલાં લીધાં.
મીડિયા સંગઠને કહ્યું કે, આ સમય જે રીતની સ્થિતિ જમ્મુ-કાશ્મીરની છે એવાં સમયમાં સ્વતંત્ર મીડિયાની ભૂમિકા ખૂબ જ મહત્વપૂર્ણ થઇ જાય છે. તેમણે કહ્યું કે, મીડિયા પારદર્શિતા હંમેશાથી ભારતની તાકાત છે અને રહેવી જોઇએ, ભય નહીં. ગિલ્ડે આ સાથે જ તેવાં તમામ પત્રકારોની પ્રશંસા કરી અને તેમની સાથે એકજૂટતા દર્શાવી કે જે અભૂતપૂર્વ પડકારો હોવાં છતાં ત્યાંથી રિપોર્ટિંગ કરી રહ્યાં છે.