બસપા પ્રમુખ માયાવતીએ મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં કોંગ્રેસ પાર્ટીને સમર્થન આપવાની જાહેરાત કરી છે. તેઓએ કહ્યું છે કે ભાજપને સત્તાથી બહાર રાખવા માટે પાર્ટીએ આ નિર્ણય લીધો છે. તમને જણાવી દઇએ કે મધ્યપ્રદેશમાં બસપાનાં બે અને રાજસ્થાનમાં છ ધારાસભ્યો ચૂંટાયાં છે.
બીજી બાજુ સમાજવાદી પાર્ટી અને ઉત્તરપ્રદેશનાં મુખિયા અખિલેશ યાદવે પણ કોંગ્રેસને સમર્થન આપવાની વાત કરી છે. તેઓએ કહ્યું કે મધ્યપ્રદેશમાં સરકાર બનાવવા માટે અમે કોંગ્રેસનું સમર્થન કરીશું. તમને જણાવી દઇએ કે સપાને મધ્યપ્રદેશમાં એક સીટ મળી છે જ્યારે બસપાને બે સીટો મળી છે.
કોંગ્રેસની નીતિઓથી સહમત નથી તેમ છતાં કરીશું સમર્થનઃ
બુધવારનાં રોજ સવારે પ્રેસ કોન્ફરન્સ દરમ્યાન માયાવતીએ વધુ એક કોંગ્રેસ પાર્ટીને ખરુંખોટું સંભળાવ્યું ને સાથે સમર્થન આપવાની પણ વાત કરી. માયાવતીએ કહ્યું કે ભલે અમે કોંગ્રેસની નવી નીતિઓ સાથે સહમત નથી પરંતુ અમારી પાર્ટી મધ્ય પ્રદેશમાં તેઓને સમર્થન કરવા માટે સહમત થઇ છે અને જરૂરિયાત પડી તો રાજસ્થાનમાં પણ સમર્થન કરીશું.
તેઓએ કહ્યું કે પાંચેય રાજ્યોમાં આવેલ પરિણામ દેખાડે છે કે છત્તીસગઢ રાજસ્થાન અને મધ્ય પ્રદેશ જેવાં રાજ્યોમાં લોકો ભાજપ અને આની નીતિઓને સંપૂર્ણ રીતે વિરૂદ્ધ હતાં અને પરિણામે અન્ય પ્રમુખ વિકલ્પોની ઉણપને કારણ તેઓએ કોંગ્રેસની પસંદગી કરી છે.
કોંગ્રેસને કારણ થયું બસપાનું ગઠનઃ
માયાવતીએ કહ્યું કે બહુજન સમાજવાદી પાર્ટીનું નિર્માણ જ કોંગ્રેસને કારણ થયું છે. તેઓએ કહ્યું કે આઝાદી બાદ જ કોંગ્રેસ પાર્ટીએ પછાત જાતિ જનજાતિનાં વિકાસ માટે કોઈ અસરકારક પગલાં નથી લીધાં કે જેને કારણ પાર્ટીનું નિર્માણ કરવામાં આવ્યું.
તેઓએ કહ્યું કે પછાત જાતિઓની ઉપેક્ષા કોંગ્રેસ પાર્ટીનાં રાજ્યમાં પણ થતી રહી છે. ભાજપનાં કાર્યકાળમાં પણ આ બંધ નથી થયેલ. ક્યારેય પણ આ વર્ગોનો વિકાસ નહીં થઇ શકેલ. આઝાદી બાદ પણ અમને વધારે ફાયદો નથી થયો કે જેને કારણ બસપાનું નિર્માણ થયું હતું.