નવી દિલ્હી: આજથી મોદી સરકાર પોતાના ત્રણ વર્ષના સફળ કાર્યકાળને જનતાની વચ્ચે રાખશે. ત્યારે વિપક્ષ રાષ્ટ્રપતિ ચૂંટણીને લઇ વિચારવિમર્શ કરી રહી છે. શુક્રવારે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ 17 વિપક્ષી પાર્ટીઓને ભોજન માટે આમંત્રિત કરી હતી. બેઠકમાં લંચ દરમિયાન રાષ્ટ્રપતિ ઉમેદવારના નામ પર ચર્ચા કરવામાં આવી હતી.
આ બેઠક સંસદ પરિસરની લાઇબ્રેરીમાં યોજવામાં આવી હતી. રાષ્ટ્રપતિ ઉમેદવારના નામ માટે પક્ષ અને વિપક્ષ પોતાની રણનીતિ બનાવી રહ્યું છે. જેને ધ્યાનમાં લઇ સોનિયાએ આજે આ બેઠક બોલાવવાનો નિર્ણય કર્યો હતો. જોકે બેઠકમાં બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમાર સામેલ થયા ન હતા. તેમની જગ્યાએ શરદ યાદવ પ્રતિનિધિત્વ કરશે.