દેશમાં રાષ્ટ્રપતિની ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો આવી ગયો છે. જેને લઈ અત્યારે દિલ્હીમાં ભાજપ સંસદીય બોર્ડની બેઠક ચાલી રહી છે. આ બેઠકમાં પીએમ મોદી, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા, રક્ષા મંત્રી રાજનાથ સિંહ, નીતિન ગડકરી અને શિવરાજ સિંહ ચૌહાણ સહિત પાર્ટીના ઘણા વરિષ્ઠ નેતાઓ સામેલ છે.
BJP's parliamentary board meeting begins at party headquarters in Delhi
PM Narendra Modi, party president JP Nadda, Defence Minister Rajnath Singh, Union Home Minister Amit Shah, Union Minister Nitin Gadkari, and others present at the meeting
ભાજપની આ ઉચ્ચસ્તરીય બેઠકમાં રાષ્ટ્રપતિ પદના ઉમેદવારના નામ પર મંથન થઈ રહ્યું છે. માનવામાં આવે છે કે. સંસદીય દળની બેઠક બાદ ભાજપ રાષ્ટ્રપતિ પદના ઉમેદવારના નામની જાહેરાત કરી શકે છે.
BJP's parliamentary board meeting underway at party headquarters in Delhi
PM Narendra Modi, party president JP Nadda, Defence Minister Rajnath Singh, Union Home Minister Amit Shah, Union Minister Nitin Gadkari, and others present at the meeting pic.twitter.com/SeoQS9SOwB
દિલ્હીમાં સંસદીય બોર્ડની બેઠક પહેલા કેન્દ્રીય પ્રધાનો અમિત શાહ અને રાજનાથ સિંહ અને પક્ષ પ્રમુખ જેપી નડ્ડા ઉપરાષ્ટ્રપતિ એમ વેંકૈયા નાયડુને મળ્યા હતા. આ બેઠક બાદ એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે, શું સત્તારૂઢ નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA) તેમને એમ વેંકૈયા નાયડુને રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ઉમેદવાર બનાવવા પર વિચાર કરી રહી છે ?
બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડાએ રવિવારે જ કરી હતી બેઠક
ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ રવિવારે જ રાષ્ટ્રપતિની ચૂંટણી પર વિચારણા કરવા માટે એક મહત્વપૂર્ણ બેઠક કરી હતી. જેમાં મેનેજમેન્ટ ટીમના તમામ સભ્યો હાજર રહ્યા હતા. પાર્ટી વતી રાષ્ટ્રપતિ ચૂંટણીના ઉમેદવારને લઈને તમામ રાજકીય પક્ષો સાથે વાટાઘાટો કરવાની જવાબદારી ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા અને સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહને સોંપવામાં આવી હતી
આ તરફ એનસીપી પ્રમુખ શરદ પવારે આજે 19 વિપક્ષી પાર્ટીઓના નેતાઓની બેઠક બોલાવી હતી. આ બેઠકમાં તમામ વિરોધ પક્ષોના નેતાઓએ સર્વસંમતિથી રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર માટે યશવંત સિંહાના નામને સમર્થન આપ્યું હતું. યશવંત સિંહા હવે 27 જૂને રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર માટે નોમિનેશન ફાઈલ કરશે. નોંધનીય છે કે, નવા રાષ્ટ્રપતિની ચૂંટણી 18 જુલાઈના રોજ થવાની છે.