રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી યુક્રેન છોડીને પોલેન્ડ જતા રહ્યાં હોવાનો દાવો રશિયન મીડિયાએ કર્યો છે.
રશિયન મીડિયાનો દાવો
રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી યુક્રેન છોડ્યું
પોલેન્ડમાં લીધું રાજકીય શરણ
રશિયન મીડિયાએ બીજી વાર દાવો કર્યો છે કે રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી યુક્રેન છોડીને પોલેન્ડ જતા રહ્યાં છે. આ પહેલા પણ રશિયન મીડિયામાં ખબર આવી હતી કે ઝેલેન્સ્કી દેશ છોડીને ફરાર થયા હતા. જોકે પાછળથી રશિયન મીડિયાનો આ દાવો ખોટો ઠર્યો હતો અને તેઓ સામે આવ્યાં હતા. અમેરિકાએ પણ તેમને પરિવાર સહિત યુક્રેન બહાર લઈ જવાની ઓફર કરી હતી જોકે તેમણે તે ઓફર ફગાવી દીધી હતી.
પોલેન્ડ યુક્રેનની નજીકનો દેશ
પોલેન્ડ યુક્રેનનો પડોશી દેશ છે તેથી યુદ્ધથી બચવા તેઓ ત્યાં જતા રહ્યાં હોવાનો દાવો રશિયન મીડિયાનો છે.
બ્રિટનના અખબારનો દાવો-ઝેલેન્સ્કીની હત્યાનો 3 વાર પ્રયાસ થયો
બ્રિટન અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધની વચ્ચે બ્રિટનના એક અખબારે ચોંકાવનારો દાવો કરીને ખળભળાટ મચાવ્યો છે. યુકેના અખબાર ધ ટાઇમ્સના રિપોર્ટ અનુસાર, છેલ્લા એક અઠવાડિયામાં ઝેલેન્સ્કીની હત્યાનો ત્રણ વાર પ્રયાસ થયો હતો પરંતુ રશિયન એજન્સીએ તેમની હત્યાનો પ્લાન નિષ્ફળ બનાવ્યો હતો કારણ કે આવું કરવું યુક્રે સાથેના યુદ્ધની વિરૃદ્ધ છે.
ઝેલેન્સ્કીની હત્યા કરવા માટે ભાડૂતી સૈનિકોને મોકલાયા હતા
સમાચાર અનુસાર યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડિમીર ઝેલેન્સ્કીની હત્યા કરવા માટે ભાડૂતી સૈનિકોને મોકલવામાં આવ્યા હતા. આ સભ્યો રશિયા સમર્થિત વાગ્નેર ગ્રૂપ અને ચેચન સ્પેશિયલ ફોર્સના હતા. એવું જણાવવામાં આવ્યું છે કે દર વખતે રશિયન ફેડરલ સિક્યોરિટી બ્યૂરો (એફએસબી)ની મદદથી ઝેલેન્સ્કીની હત્યાના પ્રયાસને નિષ્ફળ બનાવવામાં આવ્યો હતો. એવું કહેવામાં આવ્યું છે કે એફએસબીના કર્મચારીઓ યુક્રેન સાથેના યુદ્ધની વિરુદ્ધ છે.
મને મારવા 400 ભાડુત હત્યારા મોકલાયા હતા-ખુદ ઝેલેન્સ્કીએ દાવો કર્યો હતો
ઉલ્લેખનીય છે કે ખુદ રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીનો દાવો હતો કે તેમને મારી નાખવા માટે 400 હત્યારા મોકલાયા છે અને આ કામ માટે રશિયાએ તેમને મોટું ઈનામ આપવાની જાહેરાત કરી છે.
પુતિનની હત્યાની થઈ અપીલ
ઉલ્લેખનીય છે કે રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીને હત્યાની કોશિશની સાથે હવે રશિયન રાષ્ટ્રપતિ પુતિનની હત્યાની વકાલત થઈ છે.અમેરિકી સાંસદ લિંડસે ગ્રાહમે એવું જણાવ્યું હતું કે રશિયામાંથી જ કોઈએ પુતિનની હત્યા કરી નાખવી જોઈએ. ત્યારે જ યુદ્ધ રોકાશે.