દેશ માટે અંતિમ શ્વાસ સુધી લડીશું- ઝેલેન્સ્કી કહી ચૂક્યા છે.
રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલુ છે. બંને દેશો દ્વારા મોટા મોટા દાવા કરવામાં આવી રહ્યા છે. આવો જ એક દાવો હવે રશિયન મીડિયા દ્વારા કરવામાં આવ્યો છે. તેમના જણાવ્યા મુજબ યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી રાજધાની કિવથી ભાગી ગયા છે. રશિયન મીડિયાએ દાવો કર્યો કે તેઓ હાલમા કીવમાં નથી અને દેશ છોડીને ભાગી ગયા છે.
યુક્રેની રાષ્ટ્રપતિ કીવમાં નથી
રશિયન મીડિયામાં આવેલી ખબર અનુસાર, હાલમાં યુક્રેની રાષ્ટ્રપતિ કીવમાં નથી, તેઓ દેશ છોડીને ફરાર થઈ ગયા છે.
દેશ છોડવાનો નથી, અંતિમ શ્વાસ સુધી લડીશું-Zelensky
જોકે રશિયન મીડિયાના દાવાની પહેલા યુક્રેનના રાષ્ટ્રપતિએ સ્પષ્ટ કરી દીધું હતું કે તેઓ દેશ છોડવાના નથી અને પોતાના દેશ માટે અંતિમ શ્વાસ સુધી લડશે. તેમણે એ વાત પર પણ ભાર મૂક્યો કે કેટલાક લોકો સોશિયલ મીડિયા દ્વારા ભ્રમ ફેલાવવાનો પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ આ મુશ્કેલ સમયમાં આખું યુક્રેન એક સાથે તાકાત સાથે રશિયન સૈન્યનો સામનો કરી રહ્યું છે. પોતાના સંબોધનમાં ઝેલેન્સ્કીએ પણ અપીલ કરી હતી કે તેમના દેશને અત્યારે શસ્ત્રોની જરૂર છે. તેઓ એકલા રશિયન સૈન્યનો સામનો કરી રહ્યા છે, તેમને હવે અન્ય દેશોના સહકારની જરૂર છે. તે સંબોધન બાદ ફ્રાંસે હથિયારો અને અન્ય સૈન્ય સામગ્રી આપવાની વાત ચોક્કસ કરી છે. યુક્રેનના વિદેશ પ્રધાનનો દાવો છે કે તેમને ફ્રાન્સ તરફથી જરૂરી શસ્ત્રો અને અન્ય સૈન્ય સામગ્રી મળી શકે છે.
રશિયાની શાંતિ મંત્રણાની ઓફ યુક્રેન સ્વીકારી હોવાનો દાવો
રશિયાની શાંતિ મંત્રણાની ઓફર યુક્રેને સ્વીકારી લીધી છે. રશિયન સમાચાર એજન્સી તાસ એજન્સીના જણાવ્યા મુજબ આ સંવાદ માટે માત્ર સ્થળ અને સમય પર જ મનોમંથન ચાલી રહ્યું છે. જોકે પહેલા યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડોમીર ઝેલેન્સ્કી તરફથી શાંતિ વાર્તા શરૂ કરવા માટે ફોન કરવામાં આવ્યો હતો ત્યાર બાદ રશિયા વતી આવી ઓફ આપવામાં આવી હતી.