જો બાયડનના હાથે હારનો સામનો કરનારા ડોનાલ્ડ ટ્રમ્પના પ્રેસિડેન્ટ ઇલેક્ટ જો બાયડનના શપથ ગ્રહણ સમારોહમાં જવા અંગે સસ્પેન્સ હતું. પરંતુ હવે તેમણે ટ્વીટ કરીને સ્પષ્ટ કરી દીધું છે કે તેઓ આ સમારોહમાં ભાગ લેશે નહીં.
હું બાયડનના સમારોહમાં નહીં જઉ : ટ્રમ્પ
અમેરિકન સંસદના ઇતિહાસમાં 206 વર્ષ પછી હિંસા થઈ
ગુરુવારે કેપિટોલ હિલ બિલ્ડિંગમાં થઈ હતી હિંસા
અમેરિકામાં થયેલી હિંસાને પગલે હાલ આરોપીના કઠેડામાં ઉભા રહેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે 20 જાન્યુઆરીએ યોજાનારા જો બાયડનના શપથ ગ્રહણ સમારોહમાં ભાગ લેવાની ના પાડી દીધી છે. ખરેખર, અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ 20 જાન્યુઆરીએ પદના શપથ લેવાના છે. ડોનાલ્ડ ટ્રમ્પ બાયડનના હાથે હારનો સામનો કર્યો હોવાથી તેમના સમારોહમાં સામેલ થવા પર પહેલાથી જ શંકા હતી,પરંતુ હવે તેમણે આ સમારોહમાં ભાગ નહીં લેવાનું ટ્વીટ કરીને સ્પષ્ટ કરી દીધું છે.
હું આ શપથગ્રહણમાં નહીં જાઉ : ટ્રમ્પ
ડોનાલ્ડ ટ્રમ્પે ટ્વીટ કર્યું કે જેમણે પૂછ્યું, હું 20 જાન્યુઆરીએ શપથ ગ્રહણ સમારોહમાં નહીં જઈશ. મહત્વનું છે કે ગુરુવારે અમેરિકામાં હિંસા વચ્ચે કોંગ્રેસે જો બાયડનની જીતને મંજૂરી આપી હતી. અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ જો બાયડનને બહુમતી કરતાં વધુ 306 ઇલેકટોરલ કોલેજ મત મળ્યા છે. પ્રમુખ બનવા માટે 270 મતો જરૂરી છે. જો બાયડન કોંગ્રેસની મંજૂરી બાદ સત્તાવાર રીતે અમેરિકાના રાષ્ટ્રપતિ બનશે.
જો બાયડનની જીત પર મહોર લગાવાયા બાદ ડોનાલ્ડ ટ્રમ્પે નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે 20 જાન્યુઆરીએ કાયદા મુજબ બાયડનને સત્તા ટ્રાન્સફર કરવામાં આવશે. ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના નિવેદનમાં કહ્યું હતું કે તેઓ ચૂંટણીના પરિણામોનું સમર્થન નથી કરતા, પરંતુ તે પછી પણ તેઓ જો બાયડનને સત્તા સોંપશે. ડોનાલ્ડ ટ્રમ્પે હાર સ્વીકારી ન હતી અને ચૂંટણીના પરિણામો કોર્ટમાં પડકારવાની જાહેરાત કરી હતી.
કેપિટોલમાં થઈ હતી હિંસા
આ પહેલા ગુરુવારે અમેરિકામાં ભારે હંગામો થયો હતો. સેનેટ જો બાયડનના પ્રમુખ પદ પર મંજૂરીની મહોર મારવામાં હતી ત્યારે ગુરુવારે ટ્રમ્પના હજારો સમર્થકોએ વોશિંગ્ટનમાં કૂચ કરી હતી અને કેપિટોલ હિલ પર હુમલો કર્યો હતો. અહીં, ફરીથી મતની ગણતરી કરવા માટે, ડોનાલ્ડ ટ્રમ્પને સત્તામાં રાખવાની માંગ કરવામાં આવી હતી.
સેંકડો સમર્થકોએ સેનેટમાં ઘૂસણખોરી કરી, તોડફોડ કરી અને અનેક કચેરીઓ કબજે કરી. જો કે, નેશનલ ગાર્ડ્સે મોરચો સંભાળી લીધો હતો, આ સમગ્ર હિંસામાં ચાર નાગરિક અને એક પોલીસ જવાન સહિત પાંચના મોત થયા હતાં.