વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જુના નિવેદન પર કર્યો હતો કટાક્ષ કર્યો
'ત્યારથી મને સંસદમાં જવાનો ડર લાગે છે'
રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી)ના પ્રમુખ શરદ પવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જુના નિવેદન પર કટાક્ષ કર્યો હતો. તેમને રાજકારણમાં જોડાવા અંગેના નિવેદનને લઈને કટાક્ષ કર્યો હતો. શરદ પવારે કહ્યું હતું કે આનાથી તેઓને સંસદમાં જવાથી થોડો ડરે છે' જો કે આ દરમિયાન તેમણે પીએમ મોદીનું નામ લીધા વગર જ ચાબખા માર્યા હતા.
સુશીલ કુમાર શિંદેએ કહ્યું હતું આવું
શરદ પવારે જણાવ્યું હતું કે 'સુશીલ કુમાર શિંદેએ કહ્યું હતું કે તેઓ મારા માર્ગદર્શન હેઠળ રાજકારણના ક્ષેત્રમાં ઉછર્યા છે. જે ને લઈને હું આવા નિવેદનોથી ડરી ગયો છું કારણ કે કોઈએ કહ્યું હતું કે તેઓ શરદ પવારની આંગળી પકડીને રાજકારણમાં આવ્યા છે. ત્યારથી મને સંસદમાં જવાનો પણ ડર લાગી રહ્યો છે.
મરાઠી સંમેલનમા આપ્યું હતું આ પ્રકારનું નિવેદન
આ અગાઉ કોંગ્રેસના વરિષ્ઠ નેતા સુશીલ કુમાર શિંદેએ એનસીપી ચીફની દોરવણી હેઠળ રાજકારણમાં આવ્યાની વાત કરી હતી. પવાર અને શિંદે પિંપરીમાં 18મા જાગતિક મરાઠી સંમેલનમા આ પ્રકારનું નિવેદન આપ્યું હતું.મહત્વનું છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2016માં એક કાર્યક્રમમાં શરદ પવારની હાજરીમાં કહ્યું હતું કે તેઓ રાજકારણમાં શરદ પવારની આંગળી પકડીને રાજકારણમાં પ્રવેશ્યા છે'.