મહારાષ્ટ્રમાં લગભગ ત્રણ સપ્તાહના રાજનૈતિક ઘમાસાણ બાદ મંગળવારે રાષ્ટ્રપતિ શાસન લાગૂ થઇ ગયું. મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન મંગળવારે સાંજે લાગુ કરાયું. રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીએ કેન્દ્રને એક રિપોર્ટ મોકલીને કહ્યું કે તેમના પ્રયાસો બાદ પણ વર્તમાન સ્થિતિમાં એક સ્થિર સરકારનું ગઠન અસંભવ છે. જોકે, આ પહેલીવાર નથી કે, કોઇ રાજ્યમાં આમ બન્યું હોય.
મહારાષ્ટ્રમાં ત્રણ સપ્તાહના રાજનૈતિક ખમાસાણ બાદ અંતે રાષ્ટ્રપતિ શાસન લાગુ કરાયું
વર્ષ 2005માં બિહારમાં પણ રાષ્ટ્રપતિ શાસન લાગુ કરાયું હતું
રાજ્યપાલ બુટા સિંહે સાત દિવસ રાહ જોયા બાદ બિહારમાં લાગુ કર્યું હતું રાષ્ટ્રપતિ શાસન
આ પહેલા 2005માં બિહારમાં પણ કંઇક એવું જ થયું હતું. એ સમયે કોંગ્રેસ દ્વારા બિહારમાં રાષ્ટ્રપતિ શાસન લાગૂ કરવામાં આવ્યું હતું. ત્યારે કેન્દ્રમાં મનમોહન સિંહના નેતૃત્વ વાળી યૂપીએ સરકાર હતી.
ફેબ્રુઆરી 2005માં મહારાષ્ટ્રની જેમ બિહાર વિધાનસભા ચૂંટણીએ ત્રિશંકુ વિધાનસભાનું નિર્માણ કર્યું. બિહારના મામલામાં એકમાત્ર તફાવત એ હતો કે મતદારોએ એનડીએની ભાજપા અને જેડીયૂને 92 બેઠકો સાથે ખંડીત જનાદેશ આપ્યો. જેમા ભાજપની 37 અને જેડીયૂની 55 બેઠકો હતી. ત્યારે રાજદને 75 અને કોંગ્રેસને 10 બેઠકો મળી હતી.
27 ફેબ્રુઆરી 2005ના દિવસે ચૂંટણી પરિણામ જાહેર કરવામાં આવ્યા. ત્યારે રાજ્યપાલ બુટા સિંહે સાત દિવસ રાહ જોઇ અને કેન્દ્રને પોતાના પત્રમાં રાષ્ટ્રપતિ શાસનની ભલામણ કરી. જ્યારે મહારાષ્ટ્રમાં રાજ્યપાલે 19 દિવસો સુધી રાહ જોઇ હતી. રાજ્યપાલ બનતા પહેલા બૂટા સિંહ પંજાબના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના એક દિગ્ગજ નેતા હતા.
એપ્રિલના મધ્યમાં બીજેપી-જેડીયૂ ગઠબંધને બિહારમા સરકાર બનાવવાનો દાવો કરતા 115 ધારાસભ્યોના સમર્થનનો દાવો કર્યો. પરંતુ બૂટા સિંહે રાષ્ટ્રપતિને એકપત્ર લખીને દાવો કર્યો કે બીજેપી-જેડીયૂ ગઠબંધન એલજેપીના ધારાસભ્યોને ખરીદવાની કોશિશ કરી રહી છે. તે ચૂંટણીમાં એલજેપીને 29 બેઠકો મળી હતી.
નોંધનીય છે કે, મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી પરિણામો બાદ ભાજપા અને શિવસેનાના ગઠબંધનને બહુમતી મળી હતી પરંતુ મુખ્યમંત્રી પદને લઇને બંને પાર્ટીઓમાં વાત ન બની. ત્યારબાદ શિવસેના એનડીએથી અલગ થઇ ગઇ. ગઠબંધન તુટ્યા બાદ કોઇપણ પાર્ટી પાસે બહુમતી ન હોવાને કારણે રાષ્ટ્રપતિ શાસન લાગૂ કરવામાં આવ્યું.