દેશના પ્રથમ નાગરિક એટલે કે આપણાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ફરી ગુજરાતના પ્રવાસે છે. દર વખત રાષ્ટ્રપતિના પ્રવાસમાં સૌરાષ્ટ્રને મહત્વ આપવામાં આવે છે ત્યારે હવે ફરી વખત રાષ્ટ્રપતિ કોવિંદ ગુજરાત અને ખાસ કરીને સૌરાષ્ટ્રના પ્રવાશે આવી રહ્યા છે.
10 એપ્રિલના દ્વારકાધીશ મંદિરે, 13 એપ્રિલના રૂક્ષ્મણી વિવાહમાં
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનું ફરી સૌરાષ્ટ્રમાં આગમન થશે. 10 એપ્રિલના દ્વારકાધીશ મંદિરે રાષ્ટ્રપતિ શિશ ઝુકાવશે તેમજ 13 એપ્રિલના રૂક્ષ્મણી વિવાહમાં અને માધવપુરના મેળામાં પણ ઉપસ્થિત રહેશે. રાષ્ટ્રપતિના આ પ્રવાસને લઈ દ્વારકા અને માધવપુરમાં તંત્ર ખાસ તૈયારી કરવામાં જોતરાઈ ગયું છે.
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ જશે દ્વારકા અને માધવપુર
મન કી બાતમાં માધવપુરના મેળાને કર્યો હતો યાદ
‘માધવપુર મેળો’ ગુજરાતના પોરબંદરના સમુદ્ર પાસે માધવપુર ગામમાં લાગે છે. પરંતુ તેનો હિન્દુસ્તાનના પૂર્વીય છેડા સાથે પણ સંબંધ જોડાય છે. તમે વિચારતા હશો કે આવું કઈ રીતે સંભવ છે? તો તેનો પણ ઉત્તર એક પૌરાણિક કથામાં મળે છે. કહેવાય છે કે હજારો વર્ષ પહેલાં ભગવાન શ્રી કૃષ્ણનો વિવાહ પૂર્વોત્તરનાં રાજકુમારી રુક્મિણી સાથે થયો હતો. આ વિવાહ પોરબંદરના માધવપુરમાં સંપન્ન થયો અને આ વિવાહના પ્રતીક રૂપે આજે પણ ત્યાં માધવપુર મેળો યોજાય છે. પૂર્વ અને પશ્ચિમનો આ ગાઢ સંબંધ, આપણો વારસો છે.
શું છે મેળાનો ઈતિહાસ ?
પોરબંદર જિલ્લાના માધવપુર ગામ આ લોકમેળો દર વર્ષે ચૈત્ર સુદ નોમથી સતત પાંચ દિવસ સુધી યોજાય છે.એક લોકવાયકા પ્રમાણે ભગવાન કૃષ્ણ સ્વયં રુકમણીની વિનંતી તેમનું અપહરણ કરી અહીં મંદિરમાં આવી એમની સાથે પરણ્યા હતા. તે પ્રસંગની યાદમાં દર વર્ષે અહીં માધવરાયનો મેળો યોજવામાં આવે છે.
મેળાનું મહત્વ પણ જાણો
કૃષ્ણ અને રુકમણી ના વિવાહ પ્રસંગની યાદમાં અહી લગ્ન અંગેની ગણેશ સ્થાપના, મંડપ વિધિ, વરઘોડો, સ્વયંવર વિધિ વગેરે પ્રસંગો અહીં વિધિવત રીતે ઉજવાય છે. પ્રથમ દિવસે ગણેશનીની સ્થાપના કરી લગ્નપત્રિકઓા મોકલવમાં આવે છે. પછી કૃષ્ણની ભવ્ય જાન પણ જોડાય છે.આ મેળામાં કચ્છથી ‘મેર’ જાતિના લોકો વિશેષ રીતે જોડાય છે, તેઓ તેમના સજાવેલા ઊંટ લઈને આવતા હોય છે. કૃષ્ણની જાન વખતે લોકભક્તિ અને કીર્તન કરે છે તથા રાસ રમે છે.
રાષ્ટ્રપતિનો દ્વારકાનો 24 માર્ચનો કાર્યક્રમ થયો હતો રદ
મહત્વનું છે કે 24 માર્ચના ગુજરાત પ્રવાસ દરમિયાન રાષ્ટ્રપતિના કાર્યક્રમમાં થોડો ફેરફાર કરવામાં આવ્યો હતો. અને દ્વારકા પ્રવાસ છેલ્લી ઘડીએ રદ કરાયો હતો. દ્વારકા પ્રવાસને લઈને જિલ્લા કલેકટર દ્વારા માહિતી આપવામાં આવી હતી. આ નિર્ણય અગાઉના આયોજન મુજબ રાષ્ટ્રપતિ 24 માર્ચના રોજ દ્વારકાધીશના દર્શન કરવા આવવાના હતા જેને લઈને તૈયારીઑ પણ કરી લેવામાં આવી હતી પણ છેલ્લી ઘડીએ કાર્યક્રમમાં ફેરફાર કરી દેવામાં આવ્યો હતો.પણ હવે 10 એપ્રિલના રોજ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ફરી દ્વારકાના પ્રવાસે આવી રહ્યા છે.
આ પહેલા રાષ્ટ્રપતિ 24-25 માર્ચે આવ્યા હતા ગુજરાત
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આજ 24 માર્ચેથી 2 દિવસના ગુજરાત પ્રવાસે આવ્યા હતા ત્યારે ગુજરાતના ઈતિહાસમાં પ્રથમ વાર વિધાનસભામાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સંબોધન કર્યું હતું. જે બાદ 25 માર્ચના રોજ તેઓએ ઇન્ડિયન નવલ શિપ વાસસુરાને ‘પ્રેસિડેન્ટ્સ કલર’ એવોર્ડથી સન્માનિત કરવાના કાર્યક્રમમાં પણ ભાગ લીધો હતો.
આ અગાઉ ઓકટોબરમાં ગુજરાત પ્રવાસે આવ્યા હતા રાષ્ટ્રપતિ
આ પહેલા ગત 29 ઓક્ટોબર 2021ને શુક્રવારે ભાવનગર જિલ્લાની મુલાકાત લીધી હતી. આ પ્રવાસ દરમિયાન મોરારી બાપુની મુલાકાત લીધી હતી ભાવનગર ખાતે આવાસ યોજનાનું લોકાર્પણ કર્યું હતું. ગુજરાતના ત્રણ દિવસના કાર્યક્રમમાં તેઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબાની પણ મુલાકાત કરી હતી.