લૉકડાઉન અને કોરોના વાયરસના કહેર વચ્ચે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે જનસંખ્યા નિયંત્રણ માટે મોટં નિવેદન આપ્યું છે. તેઓએ કહ્યું છે કે વધુ પડતી જનસંખ્યા મુશ્કેલી સમયે પડકાર બની શકે છે. ભારતમાં વધુ પડતી જનસંખ્યા ઘાતક બની શકે છે. જનસંખ્યા નિયંત્રણ માટે સુવિચારિત પગલાં ઉઠાવવા જરૂરી છે. વધુ વસ્તીથી ભારતમાં મુશ્કેલીઓમાં ભીષણ પરિણામ આવી શકે છે.
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની ટકોર
જનસંખ્યા નિયંત્રણ માટે કરી ટકોર
વધુ પડતી જનસંખ્યા ઘાતક બની શકે છે, લેવા પડશે પગલાં
દેશમાં કોરોનાના કેસોમાં વધારો થઈ રહ્યો છે, સરકાર આ ચેપને રોકવા માટે તમામ સાવચેતી પગલા લઈ રહી છે. રાષ્ટ્રપતિએ દેશમાં કોરોના ચેપના વધતા જતા કેસો અંગે પણ ચિંતા વ્યક્ત કરી છે. આ સાથે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે કહ્યું હતું કે, વૈશ્વિક સ્તરે માનવ જીવનને અસર કરનારો આવો કોઈ પડકાર મેં જોયો નથી. રાષ્ટ્રપતિએ કહ્યું કે દરેક કુદરતી આપત્તિ કંઈને કંઈ શીખવે છે.
"भारत जैसे बड़े और घनी आबादी वाले देशों को विशेष रूप से जनसंख्या नियंत्रण के विषय पर सुविचारित कदम उठाने होंगे। अन्यथा हमारे देश में ऐसी आपदाओं के भीषण परिणाम हो सकते हैं।" — राष्ट्रपति कोविन्दhttps://t.co/UUFipQoZem
— President of India (@rashtrapatibhvn) May 2, 2020
ટ્વિટર પર થયું ટ્રેન્ડ
રાષ્ટ્રપતિએ વસ્તી નિયંત્રણ અંગે ટિ્વટ કર્યાના થોડા સમય પછી, તે ટ્વિટર પર પ્રથમ ક્રમનું ટ્રેન્ડિંગ બની ગયું. લોકોએ #PopulationControlLaw સાથે ટ્વીટ કરીને વસ્તી નિયંત્રણ કાયદાની માંગ કરવાની શરૂઆત કરી. ખુદ ભાજપના નેતા અશ્વિની ઉપાધ્યાયે ટ્વીટ કર્યું હતું કે 'પ્રિય મિત્રો, માનનીય રાષ્ટ્રપતિએ વસ્તી વિસ્ફોટ અંગે પોતાની ચિંતા વ્યક્ત કરી છે. મહેરબાની કરીને #PopulationControlLawનો ઉપયોગ કરો અને સમૂહ વૃદ્ધિથી ઉદ્ભવતા સમસ્યાઓને ટ્વીટ કરો. '
કાયદો બનાવવાની જરૂર
વસ્તી નિયંત્રણ કાયદાની માંગ સમય સમય પર આવ્યા કરે છે. હાલમાં જ અશ્વિની ઉપાધ્યાયે પીએમ મોદીને એક પત્ર લખીને અસરકારક વસ્તી નિયંત્રણ કાયદાની માંગ કરી હતી. અગાઉ અન્ય ઘણા નેતાઓ પણ આવી માંગણી કરી ચુક્યા છે. પીએમ મોદીએ પણ એક સમયે વસ્તી વિસ્ફોટ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. તેઓએ કહ્યું હતું કે 'વસ્તી વિસ્ફોટ આપણા માટે, આપણી આવનારી પેઢી માટે ઘણા નવા સંકટ પેદા કરે છે, પરંતુ એ માન્ય રાખવું પડશે કે આપણા દેશમાં એક સમજદાર વર્ગ છે, જે આને ખૂબ સારી રીતે સમજે છે. તેના ઘરે બાળકને જન્મ આપતા પહેલા તે સારી રીતે વિચારે છે કે હું ક્યાંક તેની સાથે અન્યાય કરીશ નહીં ને. હું મારી પાસે રહેલી માનવીય જરૂરિયાતોને પૂરી કરી શકીશ કે નહીં, હું મારા સપના પૂરા કરી શકીશ કે નહીં, તે સપનાને પૂરા કરવા માટે હું મારી ભૂમિકા નિભાવી શકીશ કે નહીં.