આજે દેશભરમાં રથયાત્રાના તહેવારની ઉજવણી થઇ રહી છે. સાંજે 5 વાગે જ્યાં જગન્નાથ પુરીમાં રથયાત્રા નીકળશે તો બીજી તરફ અમદાવાદ શહેરમાં 142મી રથયાત્રા નીકળી રહી છે.
ભગવાન જગન્નાથ ભાઇ બલરામ, બહેન સુભદ્રા સાથે નગરચર્ચા પર નીકળી રહ્યા છે ત્યારે શ્રદ્ઘાળુઓ વચ્ચે ભારે ઉત્સાહ અને ઉમંગ જોવા મળી રહ્યા છે. આ વચ્ચેદેશના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પણ સોશ્યલ મીડિયા એકાઉન્ટ પર ટ્વીટ કરીને દેશવાસીઓને શુભકામના આપી છે.
रथ यात्रा के शुभ अवसर पर सभी देशवासियों को बधाई और शुभकामनाएँ। मैं कामना करता हूँ कि भगवान जगन्नाथ के आशीर्वाद से सभी के जीवन में सुख, शांति और समृद्धि आए – राष्ट्रपति कोविन्द
— President of India (@rashtrapatibhvn) July 4, 2019
દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાના સોશ્યલ મીડિયા એકાઉન્ટ પર પોતાના ગુજરાતના મુખ્યમંત્રી સમયના ફોટોઝ શૅર કરીને શુભેચ્છાઓ પાઠવી છે. ટ્વિટ કરતા તેમણે લખ્યુ છે કે, રથયાત્રા માટેની શુભેચ્છા. ભગવાન જગન્નાથને આપણા સારા સ્વાસ્થ્ય, ખુશી અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરીએ.
Best wishes to everyone on the special occasion of the Rath Yatra.
We pray to Lord Jagannath and seek his blessings for the good health, happiness and prosperity of everyone.
તો બીજી તરફ દેશના ગૃહમંત્રી અમિત શાહે દેશની બીજા નંબરની વિશાળ રથયાત્રા શરૂ થયા પહેલા ભગવાનની પૂજા-વિધિ કરી.ગૃહમંત્રી અમિત શાહ લગભગ 4 વાગ્યે જમાલપુર આવેલા જગન્નાથ મંદિરમાં પહોંચ્યા હતા અને મંગળ આરતી કરી હતી. આ દરમિયાન તેમના પત્ની પણ ત્યાં હાજર રહ્યા હતા. નોંધનીય છે કે, ગૃહમંત્રી બન્યા પછી અમિત શાહનો આ પહેલો ગુજરાત પ્રવાસ છે.
श्री जगन्नाथ रथयात्रा के पवित्र अवसर पर समस्त देशवासियों को हार्दिक शुभकामनाएँ।
महाप्रभु जगन्नाथ सभी के जीवन में सुख, समृद्धि और सौभाग्य लाये।
श्री जगन्नाथ रथ यात्रा के पावन अवसर पर अहमदाबाद के जगन्नाथ मंदिर में मंगला आरती की और महाप्रभु का आशीर्वाद लिया।
जय जगन्नाथ 🙏 pic.twitter.com/eXS3m1Ze3i
અમિત શાહે પણ પોતાના સોશ્યલ મીડિયા એકાઉન્ટ પર ટ્વીટ કરતા કહ્યુ કે, ''દેશવાસીઓને હાર્દિક શુભકામનાઓ, મહાપ્રભુ જગન્નાથજી તમામના જીવનાં સુખ, સમુદ્ઘિ અને સૌભાગ્ય લાવે.''