રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ 12મી ઓક્ટોબરે એકવાર ફરી ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. ત્યારે તેમના આગમન અને સ્વાગતની તૈયારીઓ થઈ ગઈ છે.
રામનાથ કોવિંદ રાષ્ટ્રપતિ ભવન ખાતે કરશે રોકાણ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતાની લેશે મુલાકાત
જૈન મંદિરમાં પણ જશે દર્શને
ગુજરાત હંમેશા વિકાસના મોડેલ સમાન રહ્યુ છે અને રાષ્ટ્રપતિ તેમજ વડાપ્રધાનનું પસંદગીનું રાજ્ય પણ કહી શકાય. ગુજરાતને વિકાસના મોડલ તરીકે પ્રસ્તુત કરવામાં આવે છે. તમામ ટ્રાયલ એન્ડ એરર ગુજરાત ઉપર જ અજમાવવામાં આવે છે ત્યારે ગુજરાતની મુલાકાતે રાષ્ટ્રપતિ આવી રહ્યા છે.
રામનાથ કોવિંદ 12મી ઓકટોબરથી બે દિવસીય ગુજરાતની મુલાકાતે છે. તેઓ હંમેશા ગુજરાતમાં ધાર્મિક સ્થળોની મુલાકાત લેતા રહ્યા છે. ગુજરાતમાં રામનાથ કોંવિંદ સોમનાથ, જૂનાગઢ વગેરેની મુલાકાત લઈ ચૂક્યા છે ત્યારે આ વખતે તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની માતા હિરા બાની મુલાકાત લેશે. તે આ અગાઉ પણ માતા હિરાબાની મુલાકાત લઈ ચુક્યા છે. જોર શોરથી રામનાથ કોવિંદના સ્વાગતની તૈયારીઓ કરવામાં આવી રહી છે.
શું રહેશે રામનાથ કોવિંદનું ટાઈમ ટેબલ
રામનાથ કોંવિદ 12મી ઓક્ટોબરે રાતે 8.30 વાગે ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. રાષ્ટ્રપતિ ભવન ખાતે રાત્રી રોકાણ બાદ ગાંધીનગર ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની માતાની મુલાકાતે જશે અને ત્યાર બાદ કોબાના જૈનમંદિરની મુલાકાત લેશે.