નર્મદાના કેવડિયામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે દેશભરના ન્યાયધીશોની ઉપસ્થિતિમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે જ્યુડિશિયલ કોન્ફરન્સનો શુભારંભ કરાવ્યો.
સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે કોન્ફરન્સનું આયોજન
SC અને HCના મુ.ન્યાયાધીશોની કોન્ફરન્સનું આયોજન
કોન્ફરન્સમાં ન્યાયપાલિકાને લગતા વિષયો પર ચર્ચા થઇ
ગુજરાતમાં સૌ પ્રથમવાર સુપ્રીમ કોર્ટ સહિત રાજ્યની અલગ અલગ હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ અને ન્યાયાધીશોની બે દિવસીય કોન્ફરન્સ યોજાઇ રહી છે. આ કોન્ફરન્સ દેશના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્વારા ખુલ્લી મુકવામાં આવી. જેમાં સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ એન.વી.રમણા, રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, રાજ્ય સરકારના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કેન્દ્રીય કાયદામંત્રી કિરણ રિજ્જુ, રાજ્ય સરકારના કાયદા મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી પણ હાજર રહ્ય હતા.
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે શું કહ્યું ?
આ પ્રસંગે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્વારા ન્યાયતંત્ર, સરકાર વચ્ચે એક સૂત્રતા હોવાની વાત કરી. ટેકનોલોજી ન્યાયાલયોમાં આવે જે બધી બાબતોને લઈને જરૂરી સલાહ અને સૂચનો આપ્યા હતાં.
LIVE: President Kovind addresses a National Judicial Conference on Mediation and Information Technology at Kevadia, Gujarat https://t.co/C6IlFOHXy2
— President of India (@rashtrapatibhvn) April 9, 2022
રાષ્ટ્રપતિએ તેમના લીગલ પ્રેક્ટિશનર તરીકેના દિવસોને યાદ કર્યા અને કહ્યું કે તે વર્ષો દરમિયાન, તેમના મન-મસ્તિષ્ક પર છવાયેલા રહેતા અનેક મુદ્દાઓ પૈકી એક 'એક્સેસ ટુ જસ્ટીસ'નો મુદ્દો હતો. ‘ન્યાય’ શબ્દમાં ઘણું બધું સમાયેલું છે અને આપણા બંધારણની પ્રસ્તાવનામાં તેના પર યોગ્ય રીતે ભાર મૂકવામાં આવ્યો છે. તેમણે દરેક વ્યક્તિ સુધી ન્યાયની પહોંચ કેવી રીતે સુધારી શકાય તે વિષય પર ભાર મુક્યો. તેમણે કોન્ફરન્સ માટેના વિષયો ખૂબ જ કાળજીપૂર્વક પસંદ કર્યા હોવાની વાત કહી હતી. ન્યાયતંત્રમાં વૈકલ્પિક વિવાદ નિરાકરણ (ADR) મિકેનિઝમ અને ઇન્ફોર્મેશન એન્ડ કોમ્યુનિકેશન ટેકનોલોજી (ICT) બંને ઘણા કારણોસર મહત્વપૂર્ણ છે; પરંતુ તેમના માટે તે એટલે મહત્વપૂર્ણ છે કારણ કે તે સિસ્ટમને વધુ કાર્યક્ષમ બનાવવામાં મદદ કરશે અને ન્યાય આપવા માટે વધુ સક્ષમ બનશે.
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે શું કહ્યું ?
ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે જણાવ્યું કે સંસદ, સરકાર અને ન્યાયપાલિકા લોકશાહીના આધારસ્તંભ છે. ન્યાય પાલિકાને સૌના વિકાસ, વિશ્વાસ અને શ્રદ્ધાનું આસ્થા કેન્દ્ર ગણાવતા તેમણે ઉમેર્યું કે સરકાર અને ન્યાયપાલિકા પરસ્પર તાલમેલ અને પવિત્રતાથી કામ કરે તો રાષ્ટ્ર વિકાસની નવી ઉંચાઈઓ હાંસલ કરી શકે છે.
તેમણે ઉમેર્યું કે પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના સક્ષમ નેતૃત્વમાં દેશ આત્મનિર્ભર બનવાની દિશામાં આગળ વધી રહ્યો છે.કોવિડ કાળમાં પણ ન્યાય પાલિકાએ સમયાંતરે સંકટની ઘડીમાં સરકારને માર્ગદર્શન આપી પોતાની ભૂમિકા નિભાવી છે.
ભારતના મુખ્ય ન્યાયમૂર્તિ એન. વી. રમણાએ શું કહ્યું ?
ભારતના મુખ્ય ન્યાયમૂર્તિ એન. વી. રમણાએ જણાવ્યું કે, સંઘર્ષ એ માનવજાતનો બીજો ચહેરો છે. સંઘર્ષથી થતાં નુકસાન અને ગેરફાયદા જોવા માટે વ્યક્તિ પાસે દૂરદર્શિતા હોવી જોઈએ. વિવાદ પક્ષકારોના સંબંધને માત્ર બગાડતા જ નથી. પણ, લાંબા ચાલતા મુકદ્દમા તેના સંસાધનોને જ નષ્ટ કરી શકે છે અને જીવનભરની દુશ્મનાવટનું કારણ બને છે. દરેક સંઘર્ષ કે
મતભેદનો અંત કોર્ટમાં જ થાય એ જરૂરી પણ નથી.
મહાભારતનું ઉદાહરણ આપતા તેમણે કહ્યું કે, તટસ્થ વાતાવરણમાં મતભેદો ઉકેલી શકાય છે. જ્યાં તમામ પક્ષોને તેમનો ઇચ્છિત ન્યાય મળતો હોય છે. કારણ કે જીવન એક સંતુલિત કાર્ય છે. ગુજરાત વેપારીઓ માટે જાણીતું છે અને તેમનાથી વધુ સારી રીતે કોઈ જાણતું નથી કે સમય ખોવાઈ ગયો એટલે પૈસા ગુમાવ્યા. એટલે વિવાદનો ઝડપથી ઉકેલ આવે તે જરૂરી છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે શું કહ્યું ?
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કેવડીયા ખાતે યોજાઈ રહેલ દ્વિ દિવસીય નેશનલ જયુડીસરી કોન્ફરન્સ પ્રસગે મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઇ પટેલ, મોરારજી દેસાઇ અને વિશ્વ નેતા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇની ભૂમિ ગુજરાતમાં સૌને આવકારતા કહ્યું કે, આ કોન્ફરન્સ એ દેશમાં ન્યાયપાલિકાને વધુ સુદ્દઢ બનાવવા માટે મહત્વની પુરવાર થશે, ન્યાયાલયમાં ઇન્ફર્મેશન ટેકનોલોજીનો
ઉપયોગ થતા નાગરિકોને ઝડપથી અને સરળતાથી ન્યાય મળે તે માટે આઝાદીના અમૃત મહોત્સવ પ્રસંગે યોજાઇ રહેલી આ કોન્ફરન્સ દેશભરમાં ન્યાયતંત્ર માટે અમૃતકાળ બનશે એમ મુખ્યમંત્રીએ ઉમેર્યુ હતું.
ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ અરવિંદ કુમારે શું કહ્યું ?
સ્વાગત પ્રવચન કરતા ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ અરવિંદ કુમારે જણાવ્યું કે મધ્યસ્થી દ્વારા વિવાદનું નિરાકરણ એ ભારતનીપ્રાચીન ન્યાય પ્રણાલીનો હિસ્સો છે. ભારતમાં હજુ પણ વિવાદનું વૈકલ્પિક નિવારણ માટે ઉચિત પગલાને અપનાવવામાં આવે છે. કોઈ વિવાદના સમાધાનકારી મધ્યસ્થીથી ઉકેલ માટે જિલ્લા ન્યાય તંત્રો મહત્વની ભૂમિકા અદા કરી શકે છે.
તેમને એવું પણ કહ્યું કે ઇન્ફોર્મેશનટેકનોલોજી અત્યારના યુગમાં જીવનનો મહત્વનો હિસ્સો બની ગઈ છે. ત્યારે ન્યાય પ્રણાલીમાં તેના ઉપયોગથી ન્યાય તંત્રને વધુલોકાભિમુખ બનાવી શકાશે. સરદાર પટેલના સૌથી ઉંચા સ્ટેચ્યુના સાનિધ્યમાં થયેલું વિચાર મંથન ફળદાયી નીવડશે. તેવો આશાવાદ તેમણે અંતે વ્યક્ત કર્યો હતો.