ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી અને મહિલા વેઈટ લિફ્ટીંગના સાઈખોમ મીરાબાઈ ચાનુને દેશના સર્વોત્તમ ખેલ પુરસ્કાર રાજીવ ગાંધી ખેલ રત્ન પુરસ્કારથી સમ્માનિત કરવામાં આવશે. કોહલી આ સમ્માનને મેળવનારા ત્રીજા ક્રિકેટર હશે. રમત ગમત મંત્રાલયે દેશના સૌથી મોટા પુરસ્કાર પર મહોર લગાવી છે.
આગામી 25 સપ્ટેમ્બરના રોજ રાષ્ટ્રપતિ ભવનમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના હસ્તે આ પુરસ્કાર એનાયત કરવામાં આવશે. કોહલી અને મીરાબાઈને મેડલ સાથે રૂ. 7.5 લાખનું પણ પુરસ્કાર અપાશે. એટલું જ નહીં પણ સાથો સાથ રમત ગમત મંત્રાલયે અન્ય 20 ખેલાડીઓને પણ અર્જુન એવોર્ડ આપવાની જાહેરાત કરી છે.
ઉલ્લેખનીય છે કે કોહલી આ સન્માનને મેળવનારો ત્રીજો ક્રિકેટર બનશે.આ સન્માન સમારોહ 25 સપ્ટેમ્બરેના રોજ રાષ્ટ્રપતિ ભવન ખાતે યોજાશે. જેમાં ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના હાથે બંન્નેને રાજીવ ગાંધી ખેલરત્ન એવોર્ડ આપવામાં આવશે. આપને જણાવી દઇએ કે સચિન તેંડુલકરને 1997માં આ સન્માન આપવામાં આવેલ.
ત્યારબાદ ભારતના પૂર્વ કેપ્તાન મહેન્દ્રસિંહ ધોનીને 2007ના રોજ રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડથી સન્માનવામાં આવ્યા હતા. ત્યારે આગામી 25 સપ્ટેમ્બરના રોજ વિરાટ કોહલીને ખેલ રત્ન પુરસ્કાર આપવામાં આવશે તેવી જાહેરાત ભારત સરકારના રમત-ગમત મંત્રાલયે કરી હતી.