દેશભરમાં આજરોજ દિવાળીના તહેવારની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. દેશમાં કેટલીક જગ્યાએ પર્યાવરણને ધ્યાનમાં રાખીને ગ્રીન દિવાળી પણ મનાવામાં આવી રહી છે. આમ દિવાળી પર્વને લઇને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને શુભેચ્છા પાઠવી છે.
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે દિવાળીની શુભકામના આપી
PM મોદીએ દેશવાસીઓને દિવાળીની શુભેચ્છા પાઠવી
રોશનીનો તહેવાર આપણા જીવનમાં નવો પ્રકાશ લાવે
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ટ્વિટ કરી દિવાળીની શુભેચ્છા આપતા લખ્યું છે કે દિવાળીના શુભ અવસર પર દેશાવાસીઓને શુભકામના. આ દિવસે આપણે પ્રેમ, સહાનુભૂતિ અને હળી-મળીને દીપ પ્રજ્જવલિત કરવાની સાથે જરૂરિયાતવાળા વ્યક્તિઓના જીવનમાં ખુશી લાવવાનો પ્રયત્ન કરીએ.
दीपावली के शुभ अवसर पर सभी देशवासियों को बधाई।
आइए इस दिन हम प्रेम, सहानुभूति और मेल-जोल का दीपक प्रज्ज्वलित करते हुए सभी के, खासकर जरूरतमंदों के जीवन में खुशियां लाने का प्रयास करें —राष्ट्रपति कोविन्द
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરી લખ્યું છે કે દેશવાસીઓને દિવાળીના પર્વ પર ઘણી બધી શુભકામનાઓ. રોશનીનો આ ઉત્સવ દરેકના જીવમાં નવો પ્રકાશ લઇને આવે અને આપણો દેશ હરહંમેશ સુખ, સમૃદ્ધિ અને સૌભાગ્યથી પ્રકાશિત રહે.
देशवासियों को दीपावली के पावन अवसर पर बहुत-बहुत शुभकामनाएं। रोशनी का यह उत्सव हम सभी के जीवन में नया प्रकाश लेकर आए और हमारा देश सदा सुख, समृद्धि और सौभाग्य से आलोकित रहे।