ગુજરાત હંમેશા વિકાસના મોડેલ સમાન રહ્યુ છે અને રાષ્ટ્રપતિ તેમજ વડાપ્રધાનનું પસંદગીનું રાજ્ય પણ કહી શકાય. ગુજરાતને વિકાસના મોડલ તરીકે પ્રસ્તુત કરવામાં આવે છે. ત્યારે ગુજરાતની મુલાકાતે રાષ્ટ્રપતિ આજે આવી રહ્યા છે. 25 માર્ચના INS વાલસુરા નેવી મથકના કાર્યક્રમમાં પણ ભાગ લેશે.
તમામ સભ્યોએ 10:30 કલાકે પોતાની જગ્યા લેવાની આપી સૂચના
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ વિધાનસભામાં સંબોધનને લઈને તમામ સભ્યોએ 10:30 કલાકે પોતાની જગ્યા લેવાની સુચના પણ આપી દેવામાં આવી છે.રાષ્ટ્રપતિને સંબોધન ન થાય ત્યાં સુધી કોઈને ગૃહ ન છોડવા આદેશ પણ કરી દેવામાં આવ્યો છે.વિધાનસભા ગૃહમાં પોલીસ રાષ્ટ્રગીત વગાડશે..અને રાષ્ટ્રપતિના સંબોધન પૂર્ણ થયા બાદ સભ્યો પોતાની બેઠક પર ઊભા થશે.સંબોધન પૂર્ણ થયા બાદ બપોરે એક વાગ્યે વિધાનસભાગૃહ ફરી મળશે
ગુજરાત વિધાનસભામાં પ્રથમ વાર રાષ્ટ્રપતિ સંબોધન કરશે
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આજ 24 માર્ચેથી 2 દિવસના ગુજરાત પ્રવાસે છે ત્યારે ગુજરાતના ઈતિહાસમાં પ્રથમ વાર તેઓ વિધાનસભામાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિન્દ સંબોધન કરશે. સવારે 11 કલાકે રાષ્ટ્રપતિનું સંબોધન રાખવામાં આવ્યું છે. જે એક કલાક સુધી ચાલશે. વિધાનસભાની કામકાજ સલાહકાર સમિતિમાં આ નિર્ણય લેવાયો છે. રાષ્ટ્રપતિના કાર્યક્રમને લઈને ગૃહનો એક કલાક સમય વધારી દેવામાં આવ્યો છે.
વાલસુરાનો અર્થ સ્વોર્ડફીશ થાય છે જે ટોરપીડોને લઈ જનાર વિમાનનુ પણ નામ હતુ
સ્વતંત્રતા બાદ તેનુ નામ બદલીને ઈન્ડિયન નેવલ શીપ વાલસુરા કરાયુ
INS વાલસુરા જામનગરના રોજી દ્વીપના બીચ પર આવેલુ છે
INS વાલસુરામાં ભારતીય નૌસેના, તટરક્ષક દળના અધિકારીઓને અપાય છે ટ્રેનિંગ
ઈલેક્ટ્રિકલ,ઈલેક્ટ્રોનિક્સ,શસ્ત્ર પ્રણાલીઓ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી અંગે તાલીમ અપાય છે
INS વાલસુરામાં મિત્ર વિદેશી દેશોના અધિકારીઓને પણ અપાય છે ટ્રેનિંગ
લગભગ 80 વર્ષથી કાર્યરત હોવાથી તેની પોતાની આગવી ઓળખ ઉભી થઈ છે
રાષ્ટ્રપતિનો દ્વારકાનો 24 માર્ચનો કાર્યક્રમ કર્યો હતો રદ
મહત્વનું છે કે રાષ્ટ્રપતિના કાર્યક્રમમાં થોડો ફેરફાર કરવામાં આવ્યો હતો. અને દ્વારકા પ્રવાસ છેલ્લી ઘડીએ રદ કરાયો હતો. દ્વારકા પ્રવાસને લઈને જિલ્લા કલેકટર દ્વારા માહિતી આપવામાં આવી છે. આ નિર્ણય અગાઉના આયોજન મુજબ રાષ્ટ્રપતિ 24 માર્ચના રોજ દ્વારકાધીશના દર્શન કરવા આવવાના હતા જેને લઈને તૈયારીઑ પણ કરી લેવામાં આવી હતી પણ છેલ્લી ઘડીએ કાર્યક્રમમાં ફેરફાર કરી દેવામાં આવ્યો હતો.