પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પછી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ બાદ હવે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આગામી 25 થી 27 નવેમ્બર સુધી સ્ટેચ્યુ ઓફ યુનિટિ પાસે યોજાનારા એક કાર્યક્રમમાં હાજરી આપવા ગુજરાતની મુલાકાતે આવશે. રાષ્ટ્રપતિ રાજ્યોના વિધાનસભા અધ્યક્ષનો સેમિનાર યોજશે.
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ગુજરાત મુલાકાતે આવશે
25થી 27 નવેમ્બર સુધી સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે કાર્યક્રમ
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ગુજરાત મુલાકાતે આવશે. રાષ્ટ્રપતિ 25થી 27 નવેમ્બર સુધી સ્ટેચ્યુ ઓફ યુનિટિ પાસેના કાર્યક્રમને લઇને રાજ્યની મુલાકાતે આવી રહ્યાં છે. આ કાર્યક્રમને લઇને રાજ્યમાં 24 નવેમ્બરથી મહેમાનોનું આગમન થશે.
રાષ્ટ્રપતિ રાજ્યોના વિધાનસભા અધ્યક્ષનો સેમિનાર યોજશે. આ કાર્યક્રમમાં લોકસભા અધ્યક્ષ પણ હાજર રહેશે. આગામી 25 અને 26 નવેમ્બરના રોજ ટેન્ટ સિટી-2 ખાતે સેમિનાર યોજાશે. રાષ્ટ્રપતિ માટે ખાસ દરબારી ટેન્ટનું આયોજન કરાયું છે.
ઉલ્લેખનીય છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કેવિડયાથી અમદાવાદ રિવરફ્રન્ટ સુધીના સી-પ્લેનનો પ્રારંભ કરાવ્યો હતો. પીએમ મોદી કેવડિયાથી બેસી અમદાવાદ સુધી સી-પ્લેનમાં આવ્યાં હતા.