ગઇકાલે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની તબિયત નાદુરસ્ત થયાં બાદ તેમને આર્મી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા, તો આજે દિલ્હી સ્થિત એઇમ્સમાં રિફર કરાયા છે. ત્યારે હવે રાષ્ટ્રપતિ ભવન દ્વારા મહત્વની જાણકારી આપવામાં આવી છે.
રામનાથ કોવિંદના સ્વાસ્થ્યને લઈને મોટા સમાચાર
30 માર્ચના કરાશે બાયપાસ સર્જરી
રાષ્ટ્રપતિ ભવને આપી જાણકારી
રાષ્ટ્રપતિ ભવન દ્વારા આપવામાં આવેલ જાણકારી પ્રમાણે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની આગામી 30 માર્ચના રોજ બાયપાસ સર્જરી કરવામાં આવશે. આ સર્જરી દિલ્હી સ્થિત એઇમ્સ હોસ્પિટલમાં કરાશે.
એઇમ્સ હોસ્પિટલમાં કરાયા શિફ્ટ
હોસ્પિટલના મેડિકલ બુલેટિનમાં જણાવાયું છે કે, 'રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની તબિયત સ્થિર છે. વધુ તપાસ માટે તેમને એઈમ્સ (ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ) માં રિફર કરવામાં આવ્યા છે. '
શુક્રવારે છાતીમાં દુ:ખાવાની કરી હતી ફરિયાદ
આ અગાઉ હોસ્પિટલે શુક્રવારે મેડિકલ બુલેટિનમાં કહેવામાં આવ્યું હતું કે, "ભારતના રાષ્ટ્રપતિ ગઇકાલે સવારે છાતીની તકલીફ બાદ આર્મી હોસ્પિટલમાં આવ્યા હતા." તે નિયમિત આરોગ્ય તપાસણી હેઠળ છે અને સર્વેલન્સ હેઠળ છે. તેમની સ્થિતિ સ્થિર છે. ”સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ શુક્રવારે આર્મી હોસ્પિટલમાં રાષ્ટ્રપતિના સ્વાસ્થ્ય વિશે પૂછપરછ કરવા ગયા હતા.