સંસદના સંયુક્ત સત્રને સંબોધન કરતાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે જણાવ્યું છે કે આ દાયકો ભારત માટે મહત્વપૂર્ણ છે, આઝાદીની 75 વર્ષ પૂરા થયા છે. આપણે નવા ભારતનું નિર્માણ કરવાનું છે, સરકારના પ્રયત્નો દ્વારા ગત 5 વર્ષમાં આ દાયકાને ભારતનો દશકો બનાવવા માટે પાયો નાંખવામાં આવ્યો છે. કેન્દ્ર સરકારે નાગરિકતા કાયદો લાગૂ કરી મહાત્મા ગાંધીજીની ઇચ્છા પૂરી કરી છે
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનું સંસદ સત્રને સંબોધન
છેલ્લા 5 વર્ષમાં ભારતે પાયો મજબૂત કર્યો છે
સરકાર સબ કા સાથ, સબ કા વિકાસ, સબ કા વિશ્વાસ પર ચાલે છે
રાષ્ટ્રપતિએ સંસદ સત્રના સંબોધનમાં કહ્યું કે વર્લ્ડ ઇકોનોમિક ફોરમના ટુરિઝમ ક્ષેત્રમાં સુધાર જોવા મળ્યો છે. સરકાર સબ કા સાથ, સબ કા વિકાસ, સબ કા વિશ્વાસ પર ચાલે છે, સરકારી યોજનાઓ કોઇ ભેદભાવ વિના લાગૂ કરાઇ છે. સમાનતા સાથે સહાયતા અને સુવિધા પહોંચાડવામાં આવી છે જમ્મૂ-કાશ્મીરના લોકોને પણ દેશના લોકોને મળતા લાભ મળશે.
President Ramnath Kovind: Our constitution expects from this Parliament and every member present in this House to fulfill the hopes and aspirations of the countrymen and make necessary laws for them, keeping national interest paramount. #BudgetSessionpic.twitter.com/R5pvX3RXaf
ભારત દુનિયાનું સૌથી મોટું મોબાઇલ નિર્માતા બની ગયું છે. મારી સરકાર મેક ઇન ઇંડિયાને પ્રોત્સાહન આપી રહી છે. હું ભારતીયોને અપીલ કરુ છું કે તેઓ સ્થાનિક સામાન ખરીદે. સરકાર દ્વારા ઓટોમોબાઇલ અને રેલેવમાં પણ મેક ઇન ઇન્ડિયાને પ્રોત્સાહિત કરવામાં આવી રહી છે. વંદે ભારત અને તેજસ એક્સપ્રેસ જેવી સંપૂર્ણ રીતે ભારતમાં બની રહેલી આધુનિક રેલગાડીઓનું નિર્માણ કાર્ય પ્રગતિ પર છે.
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે કહ્યું કે યુવાઓ માટે કેન્દ્ર સરકાર સ્ટાર્ટ અપ, ખેલ ક્ષેત્રમાં મોટા પગલા લઇ રહી છે. જેના કારણે યુવાઓને લાભ થઇ રહ્યો છે અને દેશના ભવિષ્યને મજબૂત કરવામાં આવી રહ્યો છે.
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે કહ્યું કે સરકાર તરફથી નોર્થ ઇસ્ટ માં વિકાસની ગતિને વધારવામાં આવી છે. ત્યાંથી કનેક્ટવિટી વધારવામાં આવી છે. લોકોનું જીવન આસાન બનાવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે.
President Kovind: On the special request of my government, Saudi Arabia increased Haj quota unprecedentedly, due to which a record 2 lakh Indian Muslims performed Haj this time. India is the first country where the entire process of Haj was done digitally and online. https://t.co/npMV99SOui
પોતાના સંબોધનમાં રાષ્ટ્રપતિએ સરકાર દ્વારા લઘુમતિ સમુદાય માટે ભરવામાં આવેલા પગલા અંગે જણાવ્યું. સરકાર લઘુમતિ વર્ગના સામાજિક અને શૈક્ષણિક વિકાસ માટે કામ કરી રહી છે. રાષ્ટ્રપતિએ સંસદમાં કહ્યું કે ભાગલાના સમયે ભારતના લોકોને ઘણી પરેશાની થઇ હતી. મહાત્મા ગાંધીએ કહ્યું હતું કે જે હિંદુઓ પાકિસ્તાનમાં રહેવા ઇચ્છતા નથી તેઓ બારતમાં આવી શકે છે.
કેન્દ્ર સરકારે નાગરિકતા કાયદો લાગૂ કરી મહાત્મા ગાંધીજીની ઇચ્છા પૂરી કરી છે. રાષ્ટ્રપતિએ જેવું પોતાના સંબોધનમાં CAA નો ઉલ્લેખ કર્યો કે વિપક્ષી નેતાઓએ સંસદમાં હંગામો કર્યો અને નારેબાજી કરી. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે આ દરમિયાન પાકિસ્તાનમાં હિંદુઓ પર થઇ રહેલા હુમલાની નિંદા કરી અને નનકાના સાહિબ ઘટનાનો ઉલ્લેખ કર્યો.