રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સોમવારે રાષ્ટ્રપતિ ભવનમાં આયોજિત અલંકરણ સમારંભમાં કોંગ્રેસ નેતા ગુલામ નબી આઝાદ સહિત કેટલીય હસ્તીઓને 2022નો પદ્મ પુરુસ્કારોથી સન્માનિત કર્યા હતા. પદ્મ પુરસ્તાર ત્રણ શ્રેણીમાં આપવામાં આવે છે. પદ્મ વિભૂષણ, પદ્મ ભૂષણ અને પદ્મ શ્રી. એક રિપોર્ટમાં જણાવ્યા અનુસાર બે હસ્તીઓને પદ્મ વિભૂષણ, આઠને પદ્મ ભૂષણ અને 54ને પદ્મ શ્રીથી સન્માનિત કરવામાં આવ્યા છે.
LIVE: President Kovind presents Padma Awards at 2022 Civil Investiture Ceremony - I at Rashtrapati Bhavan https://t.co/DGEc06geQq
પૂર્વ સીડીએસ જનરલ બિપિન રાવત અને ગીતા પ્રેસના દિવંગત અધ્યક્ષ રાધે શ્યામને પદ્મ વિભૂષણથી સન્માનિત કરવામા આવ્યા છે. રાધે શ્યામ ખેમકાને સાહિત્ય અને શિક્ષણના ક્ષેત્રમાં પદ્મ વિભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા છે. રાષ્ટ્રપતિ કોવિંદે રાધે શ્યામ ખેમકાના પુત્ર કૃષ્ણ કુમાર ખેમકાને તેમનો પુરસ્કાર આપ્યો હતો. રાષ્ટ્રપતિએ જનરલ બિપિન રાવતની દિકરી કૃતિકા અને તારિણીને તેમનો પુરસ્કાર આપ્યો હતો.
#WATCH दिल्ली: सीडीएस जनरल बिपिन रावत को पद्म विभूषण (मरणोपरांत) पुरस्कार से सम्मानित किया गया। राष्ट्रपति रामनाथ कोविंद ने जनरल बिपिन रावत की बेटी कृतिका और तारिणी को उनका पुरस्कार दिया। pic.twitter.com/KTA085knTl
તો વળી કોંગ્રેસ નેતા ગુલામ નબી આઝાદ, પંજાબી લોક ગાયક ગુરમીત બાવા (મરણોપરાંત), ટાટા સંસના અધ્યક્ષ એન ચંદ્રશેખરન, પૂર્વ સીએજી રાજીવ મહર્ષિ, કોવિશીલ્ડના નિર્માતા સીરમ ઈંસ્ટીટ્યૂટ ઓેફ ઈંડિયાના સાઈરલ પુનાવાલા સહિત અન્ય હસ્તીઓને પદ્મ ભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા છે. પૈરાલંપિક રજત પદક વિજેતા દેવેન્દ્ર ઝાઝરિયાને પદ્મ ભૂષણ જ્યારે હોકી ખેલાડી વંદના કટારિયાને પદ્મ શ્રી પુરસ્કાર આપવામાં આવ્યો છે.
दिल्ली: राष्ट्रपति रामनाथ कोविंद ने सच्चिदानंद स्वामी को साहित्य और शिक्षा में उनके काम के लिए पद्म भूषण पुरस्कार से सम्मानित किया। pic.twitter.com/ddXarfj9vw
અલગ અલગ ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોને આપવામા આવે છે પુરસ્કાર
અહીં ઉલ્લેખનીય છે કે, પુરસ્કાર અલગ અલગ વિષયો અને ક્ષેત્રો સાથે જોડાયેલા સામાજિક કાર્યકર, સાર્વજનિક મામાલા, કલા, વિજ્ઞાન, એન્જીનિયરીંગ, વેપાર, ઉદ્યોગ, ચિકિત્સા, સાહિત્ય, શિક્ષણ, ખેલ, સિવિલ સેવા વગેરેમાં આપવામાં આવે છે. પદ્મ વિભૂષણ એવોર્ડ અસાધારણ અને વિશિષ્ટ સેવા માટે આપવામાં આવે છે. તો વળી ઉચ્ચ કોટિની વિશિષ્ય સેવા માટે પદ્મ ભૂષણ જ્યારે કોઈ પણ ક્ષેત્રમાં વિશિષ્ય સેવા માટે પદ્મ શ્રી પુરસ્કાર આપવામાં આવે છે. દર વર્ષે ગણતંત્ર દિવસની પૂર્વ સંધ્યા પર આ પુરસ્કારોની જાહેરાત કરવામાં આવે છે.
दिल्ली: राधे श्याम खेमका को साहित्य और शिक्षा के क्षेत्र में पद्म विभूषण (मरणोपरांत) से सम्मानित किया गया। राष्ट्रपति रामनाथ कोविंद ने राधे श्याम खेमका के पुत्र कृष्ण कुमार खेमका को उनका पुरस्कार दिया। pic.twitter.com/bSGp7AQUZW
રાષ્ટ્રપતિ ભવનમાં આયોજીત થનારા સમારંભમાં આ પુરસ્કાર આપવામાં આવે છે. આ વર્ષે કુલ 128 પદ્મ પુરસ્કાર આપવામાં આવ્યા છે. આ વર્ષે બે વખતના પુરસ્કાર આપવામાં આવી રહ્યા છે. એટલે કે, કુલ ચાર પદ્મ વિભૂષણ, 17 પદ્મ ભૂષણ અને 107 પદ્મ શ્રી પુરસ્કાર આપવામાં આવ્યા છે. પુરસ્કાર વિજેતા હસ્તીઓમાં 34 મહિલાઓ છે. મરણોંપરાંત પુરસ્કાર વિજેતાઓ 13 હસ્તીઓ સામેલ છે. વિદેશીઓ, એનઆરઆઈ, ઓસીઆઈની શ્રેણીમાં 10 હસ્તીઓ છે. બીજો નાગરિક અલંકરણ સમારંભ 28 માર્ચે આયોજીત થશે.