રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનું સ્વાસ્થ્ય સ્થિર છે અને તેમને વધુ તપાસ માટે એઇમ્સમાં રિફર કરવામાં આવ્યા છે.
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનું સ્વાસ્થ્ય સ્થિર
દિલ્હી સ્થિત એઇમ્સ હોસ્પિટલમાં કરાયા દાખલ
રાજનાથ સિંહે લીધી મુલાકાત
આર્મી રિસર્ચ એન્ડ રેફરલ હોસ્પિટલે શનિવારે આ માહિતી આપી હતી. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને છાતીમાં દુ:ખાવાની તકલીફ થયા બાદ શુક્રવારે સવારે સ્વાસ્થ્ય તપાસ માટે આર્મીની રિસર્ચ એન્ડ રેફરલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા.
એઇમ્સ હોસ્પિટલમાં કરાયા શિફ્ટ
હોસ્પિટલના મેડિકલ બુલેટિનમાં જણાવાયું છે કે, 'રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની તબિયત સ્થિર છે. વધુ તપાસ માટે તેમને એઈમ્સ (ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ) માં રિફર કરવામાં આવ્યા છે. '
શુક્રવારે છાતીમાં દુ:ખાવાની કરી હતી ફરિયાદ
આ અગાઉ હોસ્પિટલે શુક્રવારે મેડિકલ બુલેટિનમાં કહેવામાં આવ્યું હતું કે, "ભારતના રાષ્ટ્રપતિ ગઇકાલે સવારે છાતીની તકલીફ બાદ આર્મી હોસ્પિટલમાં આવ્યા હતા." તે નિયમિત આરોગ્ય તપાસણી હેઠળ છે અને સર્વેલન્સ હેઠળ છે. તેમની સ્થિતિ સ્થિર છે. ”સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ શુક્રવારે આર્મી હોસ્પિટલમાં રાષ્ટ્રપતિના સ્વાસ્થ્ય વિશે પૂછપરછ કરવા ગયા હતા.