શ્રીનગર: જમ્મૂ-કશ્મીરમાં ભાજપ અને પીડીપી ગઠબંધન તૂટતાં રાજ્યપાલ શાસન લાગુ થઈ ગયું છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે જમ્મૂ-કશ્મીરમાં રાજ્યપાલ શાસનને મંજૂરી આપી દીધી છે. ભાજપ અને પીડીપી ગઠબંધન તૂટતાં રાજ્યપાલે તમામ પાર્ટીઓ સાથે ચર્ચા કર્યા બાદ રાષ્ટ્રપતિને રિપોર્ટ સોંપ્યો હતો અને રાજ્યપાલ શાસન લાગુ કરવાની માગણી કરી હતી. મહત્વનું છે કે જમ્મૂ-કશ્મીરમાં 8મી વખત રાજ્યપાલ શાસન લાગુ થયું છે. રાજ્યપાલ શાસન 6 મહિના સુધી લાગુ રહેશે.
ઉલ્લેખનીય છે કે મુફ્તી સરકાર પડતા અન્ય પક્ષોએ પણ સરકાર બનાવવા રજૂ નહોતો કર્યો દાવો અંતે જમ્મૂ-કશ્મીરના રાજ્યપાલને સમગ્ર અહેવાલ મોકલ્યો હતો ત્યારે આજરોજ રામનાથ કોવિંદે રાજ્યપાલ શાસનને મંજૂરી આપી હતી.ગતરોજ ભાજપ અધ્યક્ષ અમિત શાહે જમ્મૂ કાશ્મીર મામલે મહત્વપૂર્ણ બેઠક બોલાવી હતી.
આ બેઠકમાં અમિત શાહે જમ્મુ-કશ્મીર રાજ્ય સરકારના ભાજપના તમામ મંત્રીઓને દિલ્હી બોલાવ્યા હતા. ખાસ કરીને જમ્મુ કશ્મીર પ્રદેશ ભાજપ પ્રમુખ રવિન્દ્ર રૈનાને પણ દિલ્હી તેડાવ્યા હતા અને કેટલાક વિષયો પર ગહન ચર્ચા કર્યા બાદ કાશ્મીરની મહેબૂબા મૂફ્તીની સરકાર પાસેથી ટેકો પરત ખેંચતા સરકાર પડી હતી. આ ઘટનાને પગલે મુફ્તીએ રાજ્યપાલને પોતાનું રાજીનામું મોકલી આપ્યું હતું.
President Ram Nath Kovind approved the imposition of Governor's rule in Jammu and Kashmir with an immediate effect
આપને જણાવી દઇએ કે રમઝાન માસમાં કેન્દ્ર સરકારે સીઝફાયર જાહેર કર્યું હતું.આ સાથે ઓપરેશન ઓલ આઉટ બંધ કર્યું હતું. પરંતુ તે દરમિયાન આતંકી ઘટનાઓમાં ઘણો ઉછાડો આવ્યો હતો. અનેક નિર્દોષ લોકોના ભોગ લેવાયા હતા.
ભારતીય સેનાના ઘણા જવાનો પણ શહીદ થયા હતા. તો શ્રીનગરમાં વરિષ્ઠ પત્રકાર સુઝાત બુખારીની હત્યા પણ કરવામાં આવી હતી. તો ભારતીય સેનાના જવાન ઔરંગજેબની આતંકીઓ દ્વારા હત્યા કરવામાં આવી. આવી તો અનેક ઘટનાઓને કારણે કેન્દ્ર સરકાર સામે અનેક આક્ષેપો થઈ રહ્યા હતા. જો કે આ તમામ ઘટના બાદ અંતે ભાજપે PDP સાથે છેડો ફાડ્યો હતો અને સરકાર પડી હતી.