નર્મદા: મહામહિમ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે વિશ્વની સૌથી ઊંચી સરદાર પટેલની પ્રતિમાના દર્શન કેવડિયા સ્થિત કર્યા છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીની પ્રતિમાના દર્શન કરી લોહપુરુષની પ્રતિમાં દેશ માટે પ્રેરણા સમાન હોવાની વાત રાષ્ટ્રપતિએ કહી છે.
રાષ્ટ્રપતિએ ઊંચી પ્રતિમાનો શ્રેય પ્રધાનમંત્રી મોદીને અર્પણ કરી. વિઝીટર બુકમાં તેમની પ્રસન્નતા વ્યક્ત કરી છે. આ ઉપરાંત ત્યાગ અને અખંડીતતાના દર્શન થયા હોવાનો અહેસાસ રાષ્ટ્રપતિએ અહીં વ્યક્ત કર્યો હતો.
Gujarat: President Ram Nath Kovind and First Lady Savita Kovind visit the Statue of Unity in Kevadiya. Gujarat Governor O P Kohli CM Vijay Rupani and Union Minister Piyush Goyal also present. #SardarVallabhbhaiPatelpic.twitter.com/ROqh5HWUC7
ઉલ્લેખનીય છે કે ગુજરાતના મહેમાન બનેલા દેશના રાષ્ટ્રપતિએ સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક આકાર પામેલ વેલી ઓફ ફ્લાવર જઈને સરદાર પટેલની સ્મૃતિમાં વૃક્ષારોપણ કર્યુ હતું. આ સાથે જ વૉલ ઓફ યુનિટી નજીક પ્રાર્થનાસભામાં પણ ભાગ લેવા માટે પહોંચ્યા હતા.
ત્યાર બાદ કેવડિયામાં રામનાથ કોવિંદ રેલવે સ્ટેશનનું ખાતમુહૂર્ત કર્યું. અહીં આકાર પામનાર રેલવે સ્ટેશન દેશનું પહેલું ગ્રીન ઈકોફ્રેન્ડલી રેલવે સ્ટેશન બનશે. આ રેલવે સ્ટેશન સપ્ટેમ્બર 2019 સુધીમાં બનીને તૈયાર થશે.
20 કરોડના ખર્ચે ગ્રીન રેલવે સ્ટેશન બનાવવામાં આવ્યું છે. આ દરમિયાન કોઈ કોઈ અનિચ્છિનિય બનાવ ન બને તે માટે તંત્ર દ્વારા પોલીસનો ચૂસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.