આજથી દેશની સંસદમાં બજેટની સત્રની શરૂઆત થઈ છે અને તેમાં સંયુક્ત સત્રને રાષ્ટ્રપતિએ સંબોધન કર્યું હતું. સત્રમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ઉપરાષ્ટ્રપતિ વૈકૈયા નાયડુ, લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા પહોંચ્યા હતા.
બજેટ સત્રમાં રાષ્ટ્રપતિએ કર્યું સંબોધન
લાલકિલ્લામાં થયેલી હિંસાની રાષ્ટ્રપતિએ કરી નિંદા
રાષ્ટ્રપતિએ કૃષિ કાયદાના કર્યા વખાણ
પ્રણબ મુખર્જીને પાઠવી શ્રદ્ધાંજલિ
રાષ્ટ્રપતિએ કોરોના મહામારીની વચ્ચે આ સત્રને મહત્વપૂર્ણ ગણાવ્યું અને કહ્યું નવા દશક અને નવા વર્ષમાં નવું સત્ર છે. આ સાથે જ આપણે ભારતની આઝાદીના 75માં વર્ષમાં દાખલ થઈ રહ્યા છે. રાષ્ટ્રપતિએ કહ્યું કે માહમરી સામે લડવામાં આપણે ઘણા બધા દેશવાસીઓને ગુમાવ્યા છે. આપણાં સૌના પ્રિય અને મારા પૂર્વવર્તી રાષ્ટ્રપતિ પ્રણબ મુખર્જીનું નિધન પણ કોરોનાકાળમાં જ થયું. સંસદના છ સદસ્યોના મોત કોરોના વાયરસના કારણે થયા છે. હું તે બધાને વિનમ્ર શ્રદ્ધાંજલિ અર્પિત કરું છું.
કોરોના વાયરસ મહામારીમાં સરકારની કામગીરીના કર્યા વખાણ
રાષ્ટ્રપતિએ કહ્યું કે મને સંતોષ છે કે મારી સરકારે યોગ્ય સમય પર યોગ્ય નિર્ણય લઈને લાખો દેશવાસીઓના જીવ બચાવ્યા. આજે દેશમાં કોરોના વાયરસના દર્દીઓની સંખ્યામાં સતત ઘટાડો આવી રહ્યો છે અને જે લોકો વાયરસને હરાવીને સાજા થયા છે તેમની સંખ્યા ખૂબ વધારે છે. રાષ્ટ્રપતિએ કહ્યું કે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજનાના માધ્યમથી આઠ મહિનામાં 80 કરોડ લોકોને પાંચ પ્રતિ મહિને વધારાનું અનાજ મફતમાં આપવામાં આવ્યું છે. સરકારે પ્રવાસી શ્રમિકો અને પોતાના ઘરોથી દૂર રહેતા લોકોની ચિંતા કરી છે.
લાલ કિલ્લા પર થયેલા ઉપદ્રવની નિંદા
રાષ્ટ્રપતિએ કહ્યું કે પાછલા દિવસોમાં થયેલ તિરંગા અને ગણતંત્ર દિવસ જેવા પવિત્ર દિવસનું અપમાન અતિદુર્ભાગ્યપૂર્ણ છે. તેમણે કહ્યું કે જે બંધારણ આપણને અભિવ્યક્તિની આઝાદી છે આપે છે એ જ બંધારણ કાયદા અને નિયમનું પાલન કરવાનું પણ શીખવે છે.
રાષ્ટ્રપતિએ કહ્યું કે ગામડાના લોકોનું જીવન સુધરે એ સરકારની પ્રાથમિકતા છે અને તેનું ઉત્તમ ઉદાહરણ વર્ષ 2014થી ગરીબ ગ્રામીણ પરિવારો માટે બનાવવામાં આવેલા બે કરોડ ઘર છે. વર્ષ 2022 સુધીમાં દરેક ગરીબ પાકી છતની નીચે હશે
જમ્મૂ કાશ્મીરમાં થયેલી ચૂંટણીનો ઉલ્લેખ
રાષ્ટ્રપતિએ પોતાના સંબોધનમાં જમ્મૂ કાશ્મીરમાં ઇતિહાસમાં આઝાદી બાદ પહેલીવાર જિલ્લા પરિષદ ચૂંટણીની સફળતાનો ઉલ્લેખ કરતાં જ સદનમાં લાંબા સમયથી તાળિયોની ગડગડાહટ સાંભળવા મળી.
નવી સંસદને ગણાવ્યો સુખદ સંયોગ
રાષ્ટ્રપતિએ નવી સંસદ મુદ્દે કહ્યું કે સંસદની નવી ઇમારતને લઈને પહેલાંની સરકારોએ પણ પ્રયાસ કર્યા હતા અને સુખદ સંયોગ છે કે આઝાદીના 75માં વર્ષની તરફ આપણે આગળ વધી રહ્યા છે ત્યારે નવી સંસદનું નિર્માણ શરૂ થઈ ગયું છે.