રામનાથ કોવિંદે કહ્યું કે લોકોને વિરોધ કરવાનો અને પોતાના લક્ષ્યોને પ્રાપ્ત કરવાનો પ્રયાસ કરવા માટે દબાણ બનાવવાનો અધિકાર છે, પરંતુ તેમની પદ્ધતિઓ ગાંધીવાદી હોવી જોઈએ.
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે આપ્યું ભાષણ
લોકોના કલ્યાણ માટે શું જરૂરી છે તેમાં ભાર આપવો જોઈએ
રાષ્ટ્રપતિ કોવિંદને વિદાય આપવા ઘણા દિગ્ગજો રહ્યા હાજર
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે શનિવારે રાજકીય પક્ષોને કહ્યું કે તેઓ રાષ્ટ્રીય હિતમાં પાર્ટીની રાજનીતિથી ઉપર ઉઠીને એ નક્કી કરે કે લોકોના કલ્યાણ માટે શું જરૂરી છે. સંસદના સેન્ટ્રલ હોલમાં પોતાના વિદાય ભાષણમાં સાંસદોને સંબોધિત કરતા કોવિંદે શાંતિ અને સદભાવના મૂલ્ય પર ભાર મૂક્યો હતો.
પરિવારનો હિસ્સો માન્યો
તેમની આ ટિપ્પણી એવા સમયે મહત્વપૂર્ણ છે જ્યારે અનેક મુદ્દાઓ પર વિપક્ષના વિરોધને કારણે સંસદની કાર્યવાહી ઘણીવાર વિક્ષેપિત થાય છે. કોવિંદે કહ્યું કે તેઓ હંમેશા પોતાને મોટા પરિવારનો હિસ્સો માને છે જેમાં સાંસદો પણ સામીલ છે. તેમણે કહ્યું હતું કે, કોઈ પણ પરિવારની જેમ ક્યારેક તેમની વચ્ચે મતભેદ થઇ શકે છે, પરંતુ તેમણે દેશનાં મોટાં હિતો માટે સાથે મળીને કામ કરવું જોઈએ. રાષ્ટ્રપતિ કોવિંદને વિદાય આપવા માટે ઉપરાષ્ટ્રપતિ એમ વેંકૈયા નાયડુ, વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ સમારોહમાં હાજરી આપી હતી.
राष्ट्रपति के पद को आप सबने जिस प्रकार निरंतर सम्मान दिया है, उसकी मैं सराहना करता हूं। मेरी शुभकामना है कि आप सब, समाज व राष्ट्र को और अधिक मजबूत बनाने के अपने प्रयासों में, सफलता प्राप्त करें। pic.twitter.com/F8la2gxoIM
— President of India (@rashtrapatibhvn) July 23, 2022
દેશના નાગરિકોનો આભારી છું
ચૂંટાયેલા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ સોમવારે ભારતના 15માં રાષ્ટ્રપતિ તરીકે શપથ લેશે. તે દેશના સર્વોચ્ચ બંધારણીય પદ પર કબજો કરનારી પ્રથમ આદિવાસી હશે. રામનાથ કોવિંદે મુર્મૂને અભિનંદન આપતા કહ્યું કે તેમના માર્ગદર્શનથી દેશને ફાયદો થશે. "મને રાષ્ટ્રપતિ તરીકેની સેવા કરવાની તક આપવા બદલ હું હંમેશા દેશના નાગરિકોનો આભારી રહીશ.
રવિવારે કરશે રાષ્ટ્રને સંબોધન
શનિવારે રાષ્ટ્રપતિ ભવન તરફથી જાહેર કરવામાં આવેલા નિવેદન મુજબ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ રવિવારે રાષ્ટ્રને સંબોધિત કરશે. નિવેદન અનુસાર, રાષ્ટ્રને સંબોધનને ઓલ ઇન્ડિયા રેડિયો અને દૂરદર્શનની તમામ ચેનલો પર પહેલા હિન્દીમાં અને પછી અંગ્રેજીમાં પ્રસારિત કરવામાં આવશે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે સંબોધન હિન્દી અને અંગ્રેજીમાં પ્રસારિત થયા પછી, દૂરદર્શનની તમામ પ્રાદેશિક ચેનલો દ્વારા પ્રાદેશિક ભાષાઓમાં તેનું પ્રસારણ કરવામાં આવશે.