રાષ્ટ્રપતિ મુર્મૂએ સંસદના બન્ને ગૃહોને પહેલી વાર સંબોધિત કરીને મોદી સરકારની વિકાસગાથા વર્ણવી હતી.
રાષ્ટ્રપતિ મુર્મૂએ મોદી સરકારની વિકાસગાથા રજૂ કરી
સંસદના બન્ને ગૃહોને કર્યું સંબોધન
અભિભાષણમાં સરકારને જે કામ કરવાનું છે તેને લઈને કરી જાહેરાત
11 કરોડ નાના ખેડૂતોને સશક્ત અને સમૃદ્ધ બનાવવા સરકારની પ્રાથમિકતા
સંસદના બજેટ સત્રના પ્રારંભમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ આજે સંસદને બન્ને ગૃહોને સંબોધન કરીને મોદી સરકારની વિકાસગાથા રજૂ કરી હતી અને હવે ભવિષ્યમાં સરકાર શું કરવા માગે છે તેને લઈને કેટલીક મહત્વની માહિતી જાહેર કરી હતી. કેન્દ્રીય બજેટના એક દિવસ પહેલા રાષ્ટ્રપતિના અભિભાષણ સાથે બજેટ સત્રનો પ્રારંભ થતો હોય છે જેમાં સરકારની વિકાસગાથાની સાથે સરકાર જે કામ કરવાની હોય તેનું સ્પસ્ટ ચિત્ર હોય છે. અભિભાષણ આપતાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું કે આપણે 2047 સુધીમાં એક રાષ્ટ્રનું નિર્માણ કરવાનું છે, જે ભૂતકાળના ગૌરવ સાથે જોડાયેલું છે અને આધુનિકતાના દરેક અધ્યાય સાથે જોડાયેલું છે. આપણે એવા ભારતનું નિર્માણ કરવાનું છે જે આત્મનિર્ભર હોય. એક એવું ભારત હોવું જોઈએ જેમાં ગરીબી ન હોય. જેનો મધ્યમ વર્ગ પણ વૈભવથી ભરેલો છે.
About 11 crore families have been connected with piped water supply in three years under the Jal Jeevan Mission. Poor families are getting the maximum benefit from this: President Murmu to the joint sitting of Parliament pic.twitter.com/afMopApsvV
Today, the world understands the tough stand taken against terrorism by India. This is the reason why today India's being heard seriously by the world on the issue of terrorism: President Droupadi Murmu pic.twitter.com/kJu7abCg7i
દેશના 11 કરોડ નાના ખેડૂતો સરકારની પ્રાથમિકતા : રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ કહ્યું કે મારી સરકારની પ્રાથમિકતા દેશના 11 કરોડ નાના ખેડૂતો છે. દાયકાઓથી આ નાના ખેડૂતો સરકારની પ્રાથમિકતાથી વંચિત રહ્યા હતા. હવે તેમને સશક્ત અને સમૃદ્ધ બનાવવા માટે તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
આયુષ્માન ભારત યોજનાએ ગરીબોને ગરીબ બનતા બચાવ્યા
રાષ્ટ્રપતિ મુર્મૂએ કહ્યું કે આયુષ્માન ભારત યોજનાએ દેશના કરોડો ગરીબોને ગરીબ બનતા બચાવ્યા છે, તેમના 80 હજાર કરોડ રૂપિયા ખર્ચ થવાથી બચાવ્યા છે. 7 દાયકામાં દેશના લગભગ સાડા ત્રણ કરોડ ઘરો સુધી પાણીનું કનેક્શન પહોંચ્યું છે. જલ જીવન મિશન અંતર્ગત 3 વર્ષમાં લગભગ 11 કરોડ પરિવારો પાઇપ દ્વારા પાણી સાથે જોડાયા
India holds the presidency of the G20 this year. Along with all member states of G20, India aims to find solutions to world problems: President Murmu at Parliament pic.twitter.com/xb7wFZDPDJ
ગરીબોને 27 લાખ કરોડ રૂપિયા આપ્યાં
રાષ્ટ્રપતિ મુર્મૂએ જણાવ્યું હતું કે, સંપૂર્ણ પારદર્શિતા સાથે કરોડો લોકોને 27 લાખ કરોડ રૂપિયાથી વધુની સહાય કરવામાં આવી છે. વિશ્વ બેંકના એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, આવી યોજનાઓ અને પ્રણાલીઓથી ભારત કોવિડ દરમિયાન લાખો લોકોને ગરીબી રેખાની નીચે જતા બચાવવામાં સફળ રહ્યું છે.
પ્રથમ વખત પુરુષો કરતા મહિલાઓની સંખ્યા વધી
મહિલાઓ અંગે રાષ્ટ્રપતિએ કહ્યું કે આજે આપણે 'બેટી બચાઓ, બેટી પઢાઓ' અભિયાનની સફળતા જોઈ રહ્યા છીએ. દેશમાં પહેલીવાર મહિલાઓની સંખ્યા પુરુષો કરતા વધી છે અને મહિલાઓનું સ્વાસ્થ્ય પણ પહેલા કરતા વધારે સુધર્યું છે. કોઈ પણ ક્ષેત્રમાં મહિલાઓ માટે કોઈ પ્રતિબંધ ન રહે તેની તકેદારી રાખવામાં આવી છે.
Women empowerment has been at the core of all schemes introduced by my govt. Today, we're seeing the success of 'Beti Bachao, Beti Padhao'. For the first time in the country, no. of women is more than men and the health of women has also improved more than before: President Murmu pic.twitter.com/yvkvVD2iuk
ફાઈલ કર્યાના થોડા જ દિવસોમાં રિફંડ
રાષ્ટ્રપતિ મુર્મૂએ કહ્યું કે પહેલા ટેક્સ રિફંડ માટે લાંબી રાહ જોવી પડતી હતી. આજે આઇટીઆર ફાઇલ કર્યાના થોડા જ દિવસોમાં રિફંડ મળી જાય છે. આજે જીએસટી પારદર્શકતા અને કરદાતાઓની ગરિમા સુનિશ્ચિત કરી રહ્યું છે.
દરેક દુ:સાહસનો જડબાતોડ જવાબ
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ કહ્યું કે, સર્જિકલ સ્ટ્રાઈકથી લઇને આતંકવાદ પર આકરા હુમલા સુધી, એલઓસીથી લઇને એલએસી સુધી, દરેક દુસ્સાહસનો કડક જવાબ આપવા સુધી, આર્ટિકલ 370 હટાવવાથી લઇને ત્રણ તલાક સુધી મારી સરકારની ઓળખ નિર્ણાયક સરકારની રહી છે.
#BudgetSession | 'Garibi hatao' is not just a slogan anymore. My government is working to have a permanent solution to the problems of the poor and empowering them: President Droupadi Murmu pic.twitter.com/jlix8SXxNV
મેડ ઈન ઈન્ડિયા અભિયાન સફળ
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ કહ્યું કે આજે એક તરફ દેશમાં અયોધ્યા ધામનું નિર્માણ થઇ રહ્યું છે, તો બીજી તરફ આધુનિક સંસદ ભવન પણ બની રહ્યું છે. એક તરફ અમે કેદારનાથ ધામ, કાશી વિશ્વનાથ ધામ અને મહાકાલ મહાલોકનું નિર્માણ કર્યું તો બીજી તરફ અમારી સરકાર પણ દરેક જિલ્લામાં મેડિકલ કોલેજ બનાવી રહી છે.સરકારની નવી પહેલના પરિણામે આપણી સંરક્ષણ નિકાસમાં છ ગણો વધારો થયો છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ કહ્યું કે મને ગર્વ છે કે અમારી સેનાએ આજે આઈએનએસ વિક્રાંતના રૂપમાં પ્રથમ સ્વદેશી વિમાનવાહક જહાજને પણ સામેલ કર્યું છે. મેડ ઇન ઇન્ડિયા અભિયાન અને આત્મનિર્ભર ભારત અભિયાનની સફળતાનો લાભ દેશને મળવા લાગ્યો છે.
#BudgetSession | With complete transparency, more than Rs 27 lakh crores have been provided to crores of people. A World Bank report states that with such schemes & systems India was able to save crores of people from dropping below the poverty line during COVID: President Murmu pic.twitter.com/3icdFEe2qx
ભારત વિશ્વની સમસ્યાઓ ઉકેલવાનું માધ્યમ
મુર્મૂએ કહ્યું કે, એક સમયે પોતાની સમસ્યાઓના ઉકેલ માટે બીજા પર નિર્ભર રહેલું ભારત આજે દુનિયાની સમસ્યાઓને ઉકેલવાનું માધ્યમ બની ગયું છે. દેશની મોટી વસ્તીએ દાયકાઓથી જે સુવિધાઓની પ્રતીક્ષા કરી છે તે સુવિધાઓ તેમને આટલા વર્ષોથી ઉપલબ્ધ છે. સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસો પણ ઉમેરાયા હતા. આ મંત્ર વિકસિત ભારતના નિર્માણ માટે પ્રેરણારૂપ બન્યો છે. થોડા મહિનામાં સરકાર નવ વર્ષ પૂરાં કરશે. સરકારના 9 વર્ષમાં લોકોએ ઘણા સકારાત્મક પરિવર્તનો જોયા છે. આત્મવિશ્વાસ ટોચ પર છે, દુનિયા ભારત તરફ જોવાની રીત બદલાઈ ગઈ છે. ભારત વિશ્વની સમસ્યાઓને હલ કરવાનું માધ્યમ બની રહ્યું છે.