દેશના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ચાર દિવસ(25થી 28 ડિસેમ્બર)ના દીવના પ્રવાસે છે. આજે તેમના પ્રવાસનો છેલ્લો દિવસ છે. ત્યારે હવે સમાચાર મળી રહ્યા છે કે, રાષ્ટ્રપતિના હોલિકોપ્ટર કાફલાના મુખ્ય પાયલટનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દીવની મુલાકાતે
રાષ્ટ્રપતિના હોલિકોપ્ટર કાફલાના એક પાયલોટને કોરોના
રાજકોટમાં 5 હેલિકોપ્ટર કરાયા હતા તૈનાત
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ગુજરાતની બોર્ડર પર આવેલા કેન્દ્ર શાસિત પ્રદેશ દીવની મુલાકાતે છે. રાષ્ટ્રપતિ કોવિંદ રાજકોટથી હેલિકોપ્ટર દ્વારા દીવ ગયા હતા. ત્યારે હવે રાષ્ટ્રપતિના આગમન સમયે થયેલા કોરોના ટેસ્ટમાં પાયલટ પોઝિટિવ આવ્યા હતા.
પાયલટ પેનલના મુખ્ય પાયલટને કોરોના થતા અન્ય પાયલટની સેવા લેવાઈ હતી. રાષ્ટ્રપતિના હેલિકોપ્ટરના 5 પાયલટમાંથી એકનો કોરોના પોઝિટિવ આવ્યો છે. 25મી તારીખે રાષ્ટ્રપતિની ગુજરાત મુલાકાત વખતે પાયલટના ટેસ્ટ થયા હતા. આ દરમિયાન રાષ્ટ્રપતિના હેલિકોપ્ટરના મુખ્ય પાયલટને કોરોના પોઝિટિવ આવ્યો છે.
રાષ્ટ્રપતિના હોલિકોપ્ટર કાફલાના એક પાયલોટને કોરોના
રાજકોટમાં 5 હેલિકોપ્ટર તૈનાત કરાયા હતા. આ 5 હેલિકોપ્ટરના પાયલોટનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જેમાં એક પાયલોટ પોઝિટિવ આવતા અન્ય 4 પાયલોટને દિલ્હી ખસેડાયા છે. રાષ્ટ્રપતિ માટે 5 હેલિકોપ્ટરને રાજકોટ એરપોર્ટ રખાયા હતા. 5 હેલિકોપ્ટરના પાયલોટ, કો-પાયલોટોના ટેસ્ટ કરાયા હતા.