જામનગરમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે INS વાલસુરા શિપને ‘પ્રેસિડેન્ટ્સ કલર’ એવોર્ડથી સન્માનિત કર્યુ.150 જવાનો દ્વારા ‘ગાર્ડ ઓફ ઓનર’ સાથે રાષ્ટ્રપતિને અપાયુ સન્માન
રાષ્ટ્રપતિ જામનગરની મુલાકાતે
નૌસેનાના કાર્યક્રમમાં આપી હાજરી
પ્રેસિડેન્ટ કલર્સ અવોર્ડ કર્યો એનાયત
ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ગુજરાતની મુલાકાતે છે. તેઓના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ છે. આજે તેઓ જામનગરના મહેમાન બન્યા છે,તેઓ INS Valsuraને 'પ્રેસિડન્ટ કલર' અર્પણ કરવાના કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે તેઓએ જણાવ્યું હતું કે INS Valsuraને પ્રેસિડેન્ટ કલર પ્રાપ્ત કરવા બદલ અભિનંદન. ત્રણેય ભારતીય સેના માટે જામનગર મહત્વનું સ્થળ છે. આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવું મારું સૌભાગ્ય છે.
INS વાલસુરા ‘પ્રેસિડેન્ટ્સ કલર’થી સન્માનિત
જામનગરની મુલાકાત દરમિયાન રાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ઇન્ડિયન નવલ શિપ વાલસુરાને ‘પ્રેસિડેન્ટ્સ કલર’ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યું. આ સન્માનના કાર્યક્રમ દરમિયાન 150 જવાનો દ્વારા ‘ગાર્ડ ઓફ ઓનર’ સાથે રાષ્ટ્રપતિને માન આપવા માટે ઔપચારિક પરેડ રજૂ કરવામાં આવી હતી. આ સમયે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, નૌસેના સ્ટાફના વડા એડમિરલ આર. હરી કુમાર, સધર્ન નેવલ કમાન્ડના ફ્લેગ ઓફિસર કમાન્ડિંગ-ઇન-ચીફ વાઇસ એડમિરલ એમ.એમ. હમ્પિહોલી સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા.
LIVE: President Kovind presents President's Colour to INS Valsura at Jamnagar, Gujarat https://t.co/DAiv7IAi0o
પ્રેસિડેન્ટ્સ કલર એવોર્ડ સૈન્યના કોઇપણ એક યુનિટને શાંતિ અને યુદ્ધ બંને સમયમાં રાષ્ટ્રની અસામાન્ય સેવા બદલ સન્માનિત કરવા માટે આપવામાં આવે છે. ભારતીય નૌસેના સશસ્ત્ર દળોની પ્રથમ શાખા છે, જેને 27 મે 1951ના રોજ ભારતના તત્કાલિન આદરણીય રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્ર પ્રસાદ દ્વારા પ્રેસિડેન્ટ્સ કલર એવોર્ડથી સન્માનિત કરવામાં આવી હતી.
President Ram Nath Kovind presents President's Colour to INS Valsura at Jamnagar, Gujarat
INS વાલસુરાને વર્ષ 1942માં રોયલ ઈંડિયન નેવીના ટોરપીડો ટ્રેનિંગ સ્કુલના રૂપમાં કમિશન કરાયું હતું. વાલસુરાનો અર્થ સ્વોર્ડફીશ થાય છે જે ટોરપીડોને લઈ જનાર વિમાનનું પણ નામ હતું. સ્વતંત્રતા બાદ તેનુ નામ બદલીને ઈન્ડિયન નેવલ શીપ વાલસુરા કરવામાં આવ્યું હતું. INS વાલસુરા જામનગરના રોજી દ્વીપના બીચ પર આવેલુ છે. જેમાં ભારતીય નૌસેના, તટરક્ષક દળના અધિકારીઓને ટ્રેનિંગ આપવામાં આવે છે. ઈલેક્ટ્રિકલ,ઈલેક્ટ્રોનિક્સ,શસ્ત્ર પ્રણાલીઓ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી અંગે તાલીમ અપાય છે. INS વાલસુરામાં મિત્ર વિદેશી દેશોના અધિકારીઓને પણ તાલીમ આપવામાં આવે છે. જે લગભગ 80 વર્ષથી કાર્યરત હોવાથી તેની પોતાની આગવી ઓળખ ઉભી થઈ છે.