આજે ગુજરાત અને મહારાષ્ટ્રનો સ્થાપના દિવસ છે. 1 મે 1960માં દિવસે મહારાષ્ટ્ર અને ગુજરાત અલગ થયા હતા, ગુજરાતે આજે દુનિયાભરમાં પોતાની એક અલગ ઓળખ બનાવી છે. ગુજરાત દિવેસને દિવસે પ્રગતિ કરી રહ્યુ છે, આ પ્રગતિમાં વધારો થાય તેવી શુબકામનાઓ સાથે ગુજરાતની પ્રજાને આજે શુભેચ્છા આપવામાં આવી રહી છે. આ ખાસ દિવસે દેશના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીને શુભેચ્છાઓ પાઠવી છે.
ગુજરાતના તમામ નાગરિકોનું ગુજરાત સ્થાપના દિવસે હૃદયપુર્વક અભિવાદન કરું છું..!! આવનારા વર્ષોમાં પણ અવિરત પ્રગતિ અને સમૃદ્ધિ સાથે રાજ્ય ઉત્તરોઉત્તર સફળતા પ્રાપ્ત કરે એવી મનોકામના સાથે ખુબ ખુબ શુભેચ્છાઓ...!!
— President of India (@rashtrapatibhvn) May 1, 2019
રાષ્ટ્રપતિ કોવિંદે ગુજરાતીમાં ટ્વીટર પર પોતાનો શુભેચ્છા સંદેશ પાઠવીને કહ્યુ કે, ''ગુજરાતના તમામ નાગરિકોનું ગુજરાત સ્થાપના દિવસે હૃદયપુર્વક અભિવાદન કરું છું..!! આવનારા વર્ષોમાં પણ અવિરત પ્રગતિ અને સમૃદ્ધિ સાથે રાજ્ય ઉત્તરોઉત્તર સફળતા પ્રાપ્ત કરે એવી મનોકામના સાથે ખુબ ખુબ શુભેચ્છાઓ...!!''
Best wishes to the people of Gujarat on Gujarat Diwas. In all spheres, people from the state have made outstanding contributions.
Gujaratis are known for their courage, innovation and spirit of enterprise. May Gujarat scale new heights of glory.
Jai Jai Garvi Gujarat!
— Chowkidar Narendra Modi (@narendramodi) May 1, 2019
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યુ કે, ગુજરાત દિવસની ગુજરાતની પ્રજાને શુભેચ્છાઓ, દરેક ક્ષેત્રમાં આ રાજયના લોકો ખાસ યોગદાન રહ્યુ છે. ગુજરાતની ઓળખ તેની હિંમત, નવીન શોધ અને ઉદ્મમી સાહસની છે. 0ગુજરાતનો વિકાસ આગળ ધપતો રહે. જય જય ગરવી ગુજરાત.”
'ગુજરાત' એ માત્ર ભૌગોલિક ઓળખ નથી, 'ચેતના' છે. ચાલો આપણે સૌ ગુજરાત સ્થાપના દિને આ 'ચેતના'ને આપણામાં સંકોરીએ..ઉજવીએ! ગુજરાત ગૌરવ દિન નિમિતે અનેકાનેક શુભેચ્છાઓ!#GujaratDay
— Chowkidar Vijay Rupani (@vijayrupanibjp) May 1, 2019
રાજ્યના મુખ્યમંત્રી વિજય રુપાણીએ પોતાના સંદેશમાં જણાવ્યું છે કે, “ગુજરાત” એ માત્ર ભૌગોલિક ઓળખ નથી, ‘ચેતના’ છે. ચાલો આપણે સૌ ગુજરાત સ્થાપના દિવસે આ ‘ચેતના’ને આપણામાં સંકોરીએ..ઉજવીએ! ગુજરાત ગૌરવ દિન નિમિતે અનેકાનેક શુભેચ્છાઓ.''