દર વર્ષે કાર્તિક મહીનાની શુક્લ પક્ષની પુનમના દિવસે શિખ ધર્મના સંસ્થાપક ગુરુ નાનક દેવનો જન્મદિવસ મનાવામાં આવે છે. ગુરુ નાનકદેવની જયંતિને ગુરુપર્વ અને પ્રકાશ ઉત્સવના નામથી ઉજવવામાં આવે છે. જેને લઇને દેશના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુરુ નાનકદેવને નમન કર્યાં.
પ્રકાશ પર્વના અવસર પર રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે દરેક દેશવાસીઓને શુભેચ્છા પાઠવી છે. તેમણે લખ્યું કે 'ગુર નાનક દેવ જયંતીના શુભ અવસર પર, હું બધા દરેક દેશવાસી અને વિદેશમાં વસેલા બધા ભારતીયો, વિશેષ રીતે શિખ સમુદાયના ભાઇઓ અને બહેનોને હાર્દિક શુભેચ્છા અને શુભકામના પાઠવું છું.
गुरु नानक देव की जयंती के शुभ अवसर पर, मैं सभी देशवासियों और विदेश में बसे सभी भारतीयों, विशेष रूप से सिख समुदाय के भाइयों और बहनों को हार्दिक बधाई और शुभकामनाएं देता हूं। आइए, इस पावन अवसर पर, हम सब अपने आचरण में उनकी शिक्षाओं का पालन करें।
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાના શુભેચ્છા સંદેશમા લખ્યું, પ્રકાશ પર્વના અવસર પર હું ગુરુ નાનક દેવજી ને નમન કરુ છું. તેમના સંદેશ અને સમાજની સેવા દુનિયાને હજુ પણ સારો બનાવવા માટે પ્રેરિત કરે છે.
During #MannKiBaat today, we paid tributes to Sri Guru Nanak Dev Ji.
I recalled efforts to rebuild a Gurudwara in Kutch which was damaged after the 2001 quake.
Also recalled the exemplary efforts of Sikhs globally in helping people during the pandemic. pic.twitter.com/spP6OJlgv4
આ અગાઉ પીએમ મોદીએ રવિવારના રોજ રેડિયો કાર્યક્રમમાં 'મન કી બાત'માં પણ નાનક જયંતીની શુભેચ્છા પાઠવી હતી. પીએમ મોદીએ મનની વાતમાં કહ્યું હતું કે દુનિયાભરમાં શીખ સમુદાયે ગુરુ નાનક દેવજીને પ્રેરણાથી શરુ કરેલ લંગર પરંપરાને કોરોના વાયરસ મહામારીના સમયમાં જારી રાખીને માનવતાની સેવા કરી છે.