ભારતમાં ઘણા મંદિરો છે જેની સાથે ઘણા રહસ્યો જોડાયેલા હતા. એક એવું જ રહસ્યમી મંદિર છે જેનું કનેક્શન રાષ્ટ્રપતિ ભવનની સાથે છે. આજે અમે તમને એવા જ એક મંદિર વિશે જણાવીશું....
દહેરાદૂનથી 190 કિમી દૂર અને મસૂરીથી 156 કિમી દૂર મહાસૂ મંદિર ચકરાતા પાસે ટોંસ નદીના પૂર્વ કિનારે આવેલ છે. કહેવાય છે કે આ મંદિરમાં જેઓ પોતાની મનોકામના માંગે છે તે જરૂરથી પૂરી થાય છે.
રસપ્રદ વાત છે કે આ મંદિરમાં દરવર્ષે દેશના રાષ્ટ્રપતિ ભવન દ્વારા મીઠાનું દાન દેવામાં આવે છે. રાષ્ટ્રપતિ કોઇપણ હોય પરંતુ આ પરંપરા અચૂકથી નિભાવવામાં આવે છે. મિશ્રિત શેલીનું સ્થાપત્ય ધરાવતું આ મંદિર ઉત્તરાખંડમાં લોક પંરપરાની દ્રષ્ટિએ ખૂબ જ મહત્વનું છે.
આ મંદિરના ગર્ભગૃહોમાં ભક્તોનો પ્રવેશ નથી. ફકત મંદિરમાં પૂજારી જ અહીં અંદર સુધી પ્રવેશ કરી શકે છે. આ મંદિરમાં એક રહસ્યમય જ્વાલા છે જે વર્ષોથી સતત પ્રગટી રહે છે. તે જ રીતે મંદિરના ગર્ભગૃહમાંથી પાણીનો પ્રવાહ વહે છે. જોકે તે પાણી ક્યાંથી આવે છે અને ક્યાં જાય છે તેની હજુ સુધી કઇ ખબર નથી.
મહાસૂ નામ એક નહીં ચાર દેવતાઓનું મળીને નામ છે. સ્થાનિક ભાષામાં મહાસૂ શબ્દ મહાશિવના નામનો અપભ્રંશ છે. મહાસૂ દેવતાઓમાં ચાર મહાસૂ ભાઇને પૂજવામાં આવે છે. બાસિક મહાસૂ પબાસિક મહાસૂ બૂઠિયા મહાસૂ અને ચાલદા મહાસૂ આ ચારેય વાસ્તવમાં ભગવાન શિવના અલગ-અલગ સ્વરૂપ છે.
ઉત્તરાખંડના ઉત્તરકાશી જૈનસાર-બાવરથી લઇને હિમાચલ પ્રદેશના સિરમોર શિમલા જુબ્બલ સુધી મહાસૂ દેવતાઓની પૂજા થાય છે. આ વિસ્તારમાં લોકો મહાસૂ દેવતાને ન્યાયના દેવતા કહે છે. તેમજ મંદિરના ન્યાયાલાયના રૂપે માનવામાં આવે છે. જ્યારે કોઇ ભક્ત મંદિરમાં આવી ન્યાય માટે માગણી કરે છે ત્યારે મહાસૂ દેવાતા તેની ઇચ્છા પૂરી કરે છે તેવું કહેવાય છે.