અટલ સરકારમાં કેબિનેટ મંત્રી રહેલા યશવંત સિન્હાને વિપક્ષના રાષ્ટ્રપતિ ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. મંગળવારે શરદ પવારના ઘરે થયેલી વિપક્ષી દળોની બેઠકમાં આ નિર્ણય લેવાયો. હવે તેમને મુકાબલો NDA ઉમેદવાર દ્રોપદી મુર્મૂ સાથે થશે.
યશવંત સિન્હા વિપક્ષ તરફથી રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર છે
યશવંત સિન્હાના રાજકીય સફરમાં તેમનું બળવાખોર વલણ જોવા મળ્યું
સર તમે IAS નહીં બની શકો પણ હું મુખ્યમંત્રી બની શકીશ : યશવંત સિન્હા
વિપક્ષ દ્વારા તૃણમૂલ કોંગ્રેસના રાજ્યસભા સાંસદ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી યશવંત સિન્હાને રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર જાહેર કર્યા છે. 84 વર્ષીય યશવંત સિંહાએ IASની નોકરી છોડીને રાજનીતિમાં પ્રવેશ કર્યો હતો. એક સમય એવો હતો જ્યારે તેઓ ભારતીય જનતા પાર્ટીના સૌથી મજબૂત નેતાઓમાંના એક હતા. તેઓ ત્રણ વખત કેન્દ્રીય મંત્રી પણ રહ્યા હતા. તો 1958માં પટના યુનિવર્સિટીના પ્રોફેસર બનવાથી લઇને 2022માં રાષ્ટ્રપતિ ઉમેદવાર બનવા સુધીની રાજકીય સફરમાં અનેક વખત યશવંત સિન્હાના બળવાખોર વલણ જોવા મળ્યું છે.
યશવંત સિન્હાનો જન્મ બિહાર થયો, IAS અધિકારી બન્યા
યશવંત સિંહાનો જન્મ 06 નવેમ્બર 1937 ના રોજ બિહારના નાલંદા જિલ્લાના અસ્થાવન ગામમાં થયો હતો. તેણે પોલિટિકલ સાયન્સમાં માસ્ટર્સ કર્યું છે. આ પછી તેઓ થોડો સમય પટના યુનિવર્સિટીમાં પ્રોફેસર પણ રહ્યા. 1960માં, સિંહાની ભારતીય વહીવટી સેવા (IAS) માટે પસંદગી કરવામાં આવી હતી. તેમણે 24 વર્ષ સુધી IAS તરીકે સેવા આપી હતી. આ સમય દરમિયાન તેઓ ભારત સરકારના વાણિજ્ય મંત્રાલયમાં ડેપ્યુટી સેક્રેટરી પણ હતા. બાદમાં તેમને જર્મનીના દૂતાવાસમાં ફર્સ્ટ સેક્રેટરી કોમર્શિયલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. 1973 અને 1975ની વચ્ચે, તેમને ભારતના કોન્સલ જનરલ બનાવવામાં આવ્યા.
1964માં બિહારના મુખ્યમંત્રી મહામાયા ટોળાની સામે કરવા લાગ્યા હતા યશવંત સિન્હાને સવાલ-જવાબ
1960ના IAS પરીક્ષામાં યશવંત સિન્હાને દેશમાં 12મો રેન્ક મળ્યો હતો. શરૂઆતી ટ્રેનિંગ બાદ તેમને બિહારના સંથાલ પરગનામાં DC(ડિસ્ટ્રિક્ટ કલેક્ટર) બનાવાયા હતા. વર્ષ હતું 1964. બિહારના તત્કાલિન મુખ્યમંત્રી મહામાયા પ્રસાદ સિન્હા સંથાલ પરગનાના પ્રવાસે ગયા હતા.
આ દરમિયાન કંઇક એવું થયું કે યશવંત સિન્હા ચર્ચામાં આવી ગયા. જોકે, CMને લોકોએ અધિકારીઓ વિરૂદ્ધ ફરિયાદ કરી હતી. ત્યારબાદ ટોળાની સામે જ મુખ્યમંત્રી યશવંત સિન્હાને સવાલ કરવા લાગ્યા. વારંવાર કરવામાં આવી રહેલા સવાલથી યશવંત સિન્હા હેરાન થઇ ગયા.
CMની સામે સિંચાઈ મંત્રીએ આકરું વલણ બતાવ્યું તો મુખ્યમંત્રી સાથે ટકરાયા યશવંત સિન્હા
આ દરમિયાન યશવંત સિન્હા પોતાના જવાબથી મુખ્યમંત્રીને ખુશ કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. ત્યારે મુખ્યમંત્રી સાથે આવેલા સિંચાઈ મંત્રી તેમના પર કંઇ વધુ જ બગડ્યા. ત્યારબાદ સિન્હાએ મુખ્યમંત્રી મહામાયા પ્રસાદ તરફ જોઈને કહ્યું કે સર હું આ પ્રકારના વ્યવહારથી ટેવાયેલો નથી.
યશવંતનો આ જવાબ સાંભળીને મુખ્યમંત્રી તેમને એક રૂમમાં લઇ ગયા. ત્યાં SP અને DIGની સામે મહામાયા પ્રસાદે તેમને કહ્યું કે તમારે મંત્રીની સાથે આ પ્રકારનું વર્તન નહોતું કરવું. ત્યારબાદ યશવંત સિન્હાએ કહ્યું કે, તમારા મંત્રીને પણ મારી સાથે આ રીતે વ્યવહાર ન કરવો જોઈએ.
સિન્હાનો આ જવાબ સાંભળીને મહામાયા પ્રસાદ ગુસ્સામાં બોલી પડ્યા કે મુખ્યમંત્રી સાથે તમે આ પ્રકારની વાત કરવાની હિમ્મત કેમ કરી? સાથે જ તેમણે IAS સિન્હાને કહ્યું કે તમે બીજી નોકરી શોધી લો.
આટલું સાંભળતા જ યશવંત સિન્હાએ મહામાયા પ્રસાદને કહ્યું કે, સર તમે એક IAS નથી બની શકતા, પરંતુ હું એક દિવસ મુખ્યમંત્રી બની શકું છું.
કેબિનેટની જગ્યા રાજ્યમંત્રી બનાવ્યા તો 10 સેકેન્ટમાં છોડી દીધું પદ
જેપી એટલે જયપ્રકાશ નારાયણથી ખુબજ પ્રભાવિત થઇને યશવંત સિન્હાએ રિટાયરમેન્ટથી 12 વર્ષ પહેલા જ IASની નોકરી છોડી દીધી. થોડા મહિનાઓ બાદ જ તેઓ જનતા દળમાં જોડાઈ ગયા અને ચંદ્રશોખરના નજીકના બની ગયા. બોફોર્સ કૌભાંડ પર ધમાસાણ વચ્ચે 1989માં વીપીસિંહ દેશના પ્રધાનમંત્રી બન્યા તો તેમણે યશવંત સિન્હાને રાજ્યમંત્રી બનાવવાની ઑફર આપી.
ત્યારે કેબિનેટ સચિવ ટીએન સેશને યશવંત સિન્હાને મંત્રી બનાવવાની ચિઠ્ઠી પણ સોંપી દીધી, પરંતુ 10 સેકેન્ડમાં જ તેમણે આ પદને ઠુકરાવી દીધું હતું. જોકે, સિન્હા કેબિનેટ મંત્રી બનવા માંગતા હતા. સિન્હાનું ત્યારે કહેવું હતું કે તેમની સીનિયરિટી અને ચૂંટણી પ્રચારમાં કામ જોતા વીપી સિંહને રાજ્યમંત્રીનું પદ આપીને તેમની સાથે અન્યાય કર્યો છે.
વીપી સિંહની સરકાર 343 દિવસ ચાલી. ત્યારબાદ નવેમ્બર 1990માં જ્યારે ચંદ્રશેખર PM બન્યા તો તેમણે સિન્હાને નાણામંત્રી બનાવી દીધા. આ સરકાર પણ અંદાજે 223 દિવસ ચાલી હતી. સરકાર પડવાના થોડા દિવસો બાદ યશવંત સિન્હા BJPમાં સામેલ થઇ ગયા. અટલ સરકારમાં તેઓ નાણામંત્રી અને વિદેશ મંત્રી પણ બન્યા.
મોદી સરકાર વિરૂદ્ધ સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યા હતા યશવંત સિન્હા
તારીખ 24 ઓક્ટોબર 2018 | ભાજપના મોટા નેતાઓમાં બાહોશ રહેલા અરૂણ શૌરી અને વકીલ પ્રશાંત ભૂષણ સાથે યશવંત સિન્હા મોદી સરકાર વિરૂદ્ધ કેસ દાખલ કરવા માટે સુપ્રીમ કોર્ટ પહોંચી ગયા હતા. ત્રણેય કોર્ટમાં દાખલ અરજી દાખલ કરીને મોદી સરકાર દરમિયાન રાફેલ કરારમાં થયેલા ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો.
આની સાથે જ રાફેલ મામલે મોદી સરકાર વિરૂદ્ધ CBIમાં કેસ દાખલ કરાવવાની માંગ કરી હતી. યશવંત સિન્હાના આ બળવાખોરી વલણને જોઈને સૌકોઈ હેરાન રહી ગયા હતા.