NDAના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર દ્રૌપદી મુર્મુએ કોંગ્રેસના વચગાળાના રાષ્ટ્રીય અધ્યક્ષ સોનિયા ગાંધી, એનસીપીના રાષ્ટ્રીય અધ્યક્ષ શરદ પવાર અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી અને તૃણમૂલ કોંગ્રેસના વડા મમતા બેનર્જી સાથે ટૅલિફોનિક વાત કરી અને રાષ્ટ્રપતિની ચૂંટણીમાં તેમની પાર્ટીને સમર્થન માંગ્યું છે.
રાષ્ટ્રપતિ ચૂંટણી માટે દ્રૌપદી મુર્મૂએ નામાંકન ભર્યું
નામાંકન પહેલા વિપક્ષના દિગ્ગજોને કર્યો ફોન
સમર્થનની કરી અપીલ
સૂત્રોના જણાવ્યા અનુસાર, રાષ્ટ્રપતિ પદ માટે નામાંકન દાખલ કરતા પહેલા, દ્રૌપદી મુર્મુએ સોનિયા ગાંધી, શરદ પવાર અને મમતા બેનર્જી ઉપરાંત અનેક વિપક્ષી પાર્ટીઓના નેતાઓ સાથે વાત કરી હતી અને રાષ્ટ્રપતિની ચૂંટણીમાં પોતાના માટે તેમની પાર્ટીનું સમર્થન માંગ્યું હતું.
આપને જણાવી દઈએ કે કોંગ્રેસ, NCP અને તૃણમૂલ કોંગ્રેસે અન્ય વિપક્ષી દળોની સાથે રાષ્ટ્રપતિની ચૂંટણી માટે વિપક્ષી દળોના સંયુક્ત ઉમેદવાર તરીકે યશવંત સિન્હાના નામની જાહેરાત કરી દીધી છે. યશવંત સિંહા પણ 27 જૂને અનેક વિરોધ પક્ષો વતી રાષ્ટ્રપતિ પદ માટે સંયુક્ત ઉમેદવાર તરીકે નોમિનેશન દાખલ કરવાની તૈયારી કરી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે, દ્રૌપદી મુર્મુએ શુક્રવારે રાષ્ટ્રપતિ પદ માટે ઉમેદવારી નોંધાવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમના પ્રસ્તાવક બન્યા હતા. નોમિનેશન દરમિયાન પોતાનું શક્તિ પ્રદર્શન કરીને ભાજપે સાબિત કર્યું છે કે તેમની પાસે તેમના ઉમેદવારને રાષ્ટ્રપતિ બનાવવા માટે પૂરતી સંખ્યા છે પરંતુ તેમ છતાં ભાજપે મુખ્ય વિરોધ પક્ષોના નેતાઓનું સમર્થન માંગીને મોટો રાજકીય સંદેશ આપવાનો પ્રયાસ કર્યો હતો.
અનેક દિગ્ગજોની ઉપસ્થિતિમાં મુર્મૂએ દાખલ કર્યું નામાંકન
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) June 24, 2022
દ્રૌપદી મૂર્મુએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, રક્ષામંત્રી રાજનાથ સિંહ સહિત ઘણા રાજ્યોના મુખ્યમંત્રીની હાજરીમાં રાષ્ટ્રપતિ પદ માટે પોતાનું નામાંકન દાખલ કર્યું છે. પ્રહ્લાદ જોશીએ દ્રૌપદી મૂર્મુના નામાંકન માટે પ્રસ્તાવક અને સમર્થક તરીકે નામાંકનના કાગળો પર હસ્તાક્ષર કર્યા છે. તેઓએ કહ્યું કે, 'આ મારુ સૌભાગ્ય છે કે મને ભારતની જનજાતીય સમાજની દેશની પહેલી મહિલા અને દેશની બીજા મહિલા દ્રૌપદી મૂર્મુના નામાંકન માટે પ્રથમ સમર્થક બનવાનું સૌભાગ્ય મળ્યું.'
#WATCH NDA's Presidential election candidate Droupadi Murmu files her nomination in the presence of PM Modi, Union cabinet ministers & CMs of BJP & NDA ruled states pic.twitter.com/PkZDXeL3L1
18મી જુલાઈએ રાષ્ટ્રપતિની ચૂંટણી અને 21 જુલાઈએ મતગણતરી
તમને જણાવી દઇએ કે, કેન્દ્રીય ચૂંટણી પંચે દેશના 16મા રાષ્ટ્રપતિની ચૂંટણીની તારીખની જાહેરાત કરી દીધી છે. જેમાં 18મી જુલાઈએ રાષ્ટ્રપતિની ચૂંટણી થશે અને 21 જુલાઈએ મતગણતરી થશે. આ સાથે NDA દ્વારા દ્રોપદી મુર્મૂને રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર પણ જાહેર કરી દેવામાં આવ્યા છે. ત્યારે મહત્વનું છે કે PM મોદી-અમિત શાહની બેઠકમાં રાષ્ટ્રપતિની ચૂંટણી અંગે ચર્ચા થાય તે સ્વભાવિક છે.
દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રપતિ બનવું લગભગ નક્કી
જો કે, દ્રૌપદી મુર્મૂએ ઔપચારિકતા ખાતર વિપક્ષી દળોના નેતાઓને ફોન કર્યો છે. કારણ કે, હાલમાં તેમને કોઈ અન્ય દળના સમર્થનની જરૂરી નથી, કારણ કે નવીન પટનાયકની બીજેડી અને જગન મોહન રેડ્ડીની પાર્ટી વાઈએસઆર કોંગ્રેસના સમર્થન બાદ તે બહુમતના આંકડાને પાર કરતા દેખાઈ રહ્યા છે. તો વળી વિપક્ષી પાર્ટીઓ આ આંકડાથી ઘણે દૂર છે. એટલે કે, દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રપતિ બનવું લગભગ નિશ્ચિત છે. વિપક્ષ તરફથી ટીએમસી નેતા યશવંત સિન્હાને ઉમેદવાર બનાવામાં આવ્યા છે. જે 27 જૂને નામાંકન ભરશે.
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનો કાર્યકાળ 24 જુલાઈએ પૂરો થઈ રહ્યો છે
મહત્વનું છે કે, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનો કાર્યકાળ 24 જુલાઈ 2022ના રોજ સમાપ્ત થઈ રહ્યો છે. તે પહેલા દેશના આગામી અને 15માં રાષ્ટ્રપતિની પસંદગી કરવામાં આવશે. છેલ્લા 45 વર્ષથી આ તારીખે ચૂંટાયેલા પ્રમુખ પદ પર બિરાજમાન છે. છેલ્લે 17 જુલાઈ, 2017ના રોજ રાષ્ટ્રપતિની ચૂંટણી યોજાઈ હતી.
રાષ્ટ્રપતિની ચૂંટણીમાં કોણ મતદાન કરી શકે અને કોણ ન કરી શકે
દેશમાં રાષ્ટ્રપતિની ચૂંટણીમાં લોકો મત આપી શકતા નથી. રાષ્ટ્રપતિની ચૂંટણીમાં નામાંકિત સભ્યો અને વિધાન પરિષદના સભ્યોને મત આપવાનો અધિકાર નથી.જો કોઈ રાજ્યના મુખ્યમંત્રી વિધાન પરિષદના સભ્ય હોય તો તેઓ રાષ્ટ્રપતિની ચૂંટણીમાં મત આપી શકતા નથી. રાષ્ટ્રપતિની ચૂંટણીમાં સિંગલ ટ્રાન્સફરેબલ વોટ સિસ્ટમ દ્વારા મતદાન થાય છે. એટલે કે રાજ્યસભા, લોકસભા અને વિધાનસભાના સભ્ય સમાન મત આપી શકે છે. આ ઉપરાંત તમામ રાજ્યોની વિધાનસભાના સભ્યો પણ રાષ્ટ્રપતિની ચૂંટણી માટે મતદાન કરે છે. તેમાં કેન્દ્ર શાસિત પ્રદેશ દિલ્હી અને પુડુચેરીની વિધાનસભાના સભ્યો પણ સામેલ છે.