રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ શનિવારે લંડન જવા રવાના થયા છે. તે બ્રિટનની મહારાણી એલિઝાબેથ દ્વિતીયના અંતિમ સંસ્કારમાં ભાગ લેશે.
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ આજે લંડન જવા રવાના
એલિઝાબેથ દ્વિતીયના અંતિમ સંસ્કારમાં ભાગ લેશે
એલિઝાબેથનું 8 સપ્ટેમ્બરના રોજ અવસાન થયું હતું
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ શનિવારે લંડન જવા રવાના થયા છે. તે બ્રિટનની મહારાણી એલિઝાબેથ દ્વિતીયના અંતિમ સંસ્કારમાં ભાગ લેશે. આ દરમિયાન રાષ્ટ્રપતિ મુર્મૂ લંડનમાં ભારત સરકાર તરફથી શોક વ્યક્ત કરશે. 19 સપ્ટેમ્બરે મહારાણી એલિઝાબેથના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. મહારાણી એલિઝાબેથનું 8 સપ્ટેમ્બરના રોજ સ્કોટલેન્ડના બાલમોરલ પેલેસમાં નિધન થયું હતું.
President Droupadi Murmu emplanes for London, United Kingdom to attend the State Funeral of H.M. Queen Elizabeth II and offer condolences on behalf of the Government of India. pic.twitter.com/HEFkhoh62J
અનેક નેતાઓ સામેલ થશે
બ્રિટનની મહારાણી એલિઝાબેથના મૃત્યુમાં દુનિયાભરના અનેક મોટા નેતાઓ સામેલ થશે. અમેરિકાના રાષ્ટ્રપતિ જો બિડેન એલિઝાબેથના અંતિમ સંસ્કારમાં ભાગ લેવા બ્રિટન જવા રવાના થયા છે. એલિઝાબેથ લાંબા સમયથી બીમાર હતાં. એલિઝાબેથે બ્રિટનમાં સૌથી વધુ સમય સુધી શાસન કર્યું હતું.
પ્રિન્સ ચાર્લ્સ હવે બ્રિટનના નવા રાજા
ખાસ વાત એ છે કે આ વર્ષે જૂનમાં બ્રિટનના મહારાણી એલિઝાબેથ દ્વિતીયએ શાસનના 70 વર્ષ પૂરા કર્યા હતા. આ પ્રસંગે ચાર દિવસીય પ્લેટિનમ જ્યુબિલી ઉજવણી કરવામાં આવી હતી. મહારાણી એલિઝાબેથ દ્વિતીયના અવસાન બાદ તેમના પુત્ર પ્રિન્સ ચાર્લ્સને ઉત્તરાધિકારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. એટલે કે પ્રિન્સ ચાર્લ્સ હવે બ્રિટનના નવા રાજા છે.