જગદીપ ધનખડ દેશના નવા ઉપરાષ્ટ્રપતિ બન્યાં છે. રાષ્ટ્રપતિ ભવનમાં યોજાયેલા શપથ ગ્રહણ સમારોહમાં તેમણે શપથ ગ્રહણ કર્યાં હતા.
જગદીપ ધનખડ બન્યાં દેશના નવા ઉપરાષ્ટ્રપતિ
રાષ્ટ્રપતિ ભવનમાં યોજાયો શપથ ગ્રહણ સમારોહ
પીએમ મોદી, અમિત શાહ સહિતના તમામ દિગ્ગજો હાજર
આખરે દેશને નવા ઉપરાષ્ટ્રપતિ મળી ચૂક્યા છે. ખેડૂત પુત્ર તરીકે જાણીતા જગદીપ ધનખડે ઉપરાષ્ટ્રપતિ પદના શપથ લીધા છે. રાષ્ટ્રપતિ ભવનમાં યોજાયેલા શપથ ગ્રહણ સમારોહમાં રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂએ તેમને હોદ્દાના શપથ લેવડાવ્યાં હતા. આ પ્રસંગે પીએમ મોદી અને કેબિનેટના તમામ મંત્રીઓ ખાસ હાજર રહ્યાં હતા.
Delhi | President Droupadi Murmu administers the oath of office to Vice President-elect Jagdeep Dhankhar
દેશના 14મા ઉપરાષ્ટ્રપતિ બન્યાં ધનખડ
ઉલ્લેખનીય છે કે જગદીપ ધનખડ ખેડૂત પુત્ર તરીકે જાણીતા છે. તેઓ મૂળ રાજસ્થાનના ઝુઝુંનુંના રહેવાશી છે. પ્રધાનમંત્રી મોદી પણ તેમને ખેડૂત પુત્ર કહી ચૂક્યા છે. ઉપરાષ્ટ્રપતિ બનતા પહેલા તેઓ બંગાળના રાજ્યપાલ પદે કાર્યરત હતો. તેઓ વિપક્ષના માર્ગરેટ અલ્વાને હરાવીને ઉપરાષ્ટ્રપતિ બન્યાં હતા.
પીએમ મોદી સહિતના કેબિનેટના મંત્રીઓની ખાસ હાજરી
ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડના શપથ ગ્રહણ સમારોહમાં પીએમ મોદી, અમિત શાહ, રાજનાથ સહિતના કેન્દ્રીય કેબિનેટના તમામ સભ્યો હાજર રહ્યાં હતા.
ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડનું જીવન ઝરમર
ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડનું અંગત જીવન અત્યંત સરળ રહ્યું છે. ઊંચાઈએ પહોંચ્યા પછી પણ તેઓ મૂળ સાથે જોડાયેલા હોય છે. મૂળ રાજસ્થાનના ઝુંઝુનુના કિથાણા ગામનો રહેવાસી જગદીપ ધનખડ જ્યારે પણ તક મળે છે ત્યારે તે ગામમાં આવે છે અને કલાકો સુધી અહીં વિતાવે છે. તેમણે ગામમાં ઘણી સામાજિક પ્રવૃત્તિઓ પણ શરૂ કરી છે. જેથી ગ્રામજનોને તેમનો લાભ મળી શકે.
Former Vice President M Venkaiah Naidu arrives at the swearing-in ceremony of Vice President-elect Jagdeep Dhankhar, at Rashtrapati Bhavan in Delhi. Ceremony to begin shortly. pic.twitter.com/kyoCJ9cJjl
સવારે 5 વાગ્યે ઉઠે છે
સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ વકીલ, મંત્રી અને બંગાળના રાજ્યપાલ અને હવે દેશના આગામી ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ આજે પણ સાદગીભર્યું જીવન જીવે છે. ખાવા-પીવાની તેમની દિનચર્યા અને દિનચર્યા નક્કી રહે છે. તેઓ રોજ સવારે 5 વાગે ઉઠી જાય છે. આ પછી યોગ અને કસરત કરે છે.
ગામ સાથેનો નાતો અકબંધ રાખ્યો
રાજસ્થાનના ઝુંઝુનુના કિથાણા ગામનો રહેવાસી જગદીપ ધનખડ આજે પણ પોતાના મૂળ સાથે જોડાયેલો છે. તેઓ ઘણા પ્રસંગોએ ગામમાં આવે છે અને ગામના લોકોના કલ્યાણ માટે ઘણી પહેલ કરી છે. જગદીપ ધનખરે 2008 માં ગામમાં મહિલાઓ માટે મફત સીવણ તાલીમ કેન્દ્ર ખોલ્યું હતું અને બાળકો માટે સ્પોકન ઇંગ્લિશ વર્ગો અને કમ્પ્યુટર અભ્યાસક્રમો પણ શરૂ કર્યા હતા. તેમણે ગામમાં એક પુસ્તકાલય પણ બનાવ્યું છે.
કલાકો સુધી મંદિરમાં બેસે છે
આ ગામમાં જગદીપ ધનખડની પૂર્વજોની હવેલી પણ આવેલી છે. 1989માં ધનખર જ્યારે ઝુંઝુનુથી પહેલી ચૂંટણી લડ્યા હતા ત્યારે તેઓ આ હવેલીમાં રહીને ચૂંટણીની રણનીતિ બનાવતા હતા. હવેલીમાંથી બહાર નીકળીને ગલીમાં ઠાકોરજીનું મંદિર છે. બાળપણમાં જગદીપ ધનખડ રોજ અહીં દર્શન કરવા માટે આવતા હતા. જગદીપ ધનખડ જ્યારે પણ અહીં આવે છે ત્યારે તે મંદિરમાં કલાકો સુધી એકલા જ બેસી રહે છે.