દિલ્હી આબકારી નીતિ ભ્રષ્ટાચાર મામલામાં અટવાયેલા મનીષ સિસોદિયાએ 28 ફેબ્રુઆરીનાં રોજ રાજીનામું આપ્યું હતું જેનો આજે દેશનાં રાષ્ટ્રપતિ મુર્મૂએ સ્વીકાર કર્યો છે.
મનિષ સિસોદિયા અને સત્યેંદ્ર જૈને આપ્યું હતું રાજીનામું
દેશનાં રાષ્ટ્રપતિએ બંનેના રાજીનામાનો કર્યો સ્વીકાર
નવા 2 મંત્રીઓની નિયુક્તી અંગે પણ મળ્યું ગ્રીન સિગ્નલ
આબકારી નીતિ ભ્રષ્ટાચાર મામલમાં ફંસાયેલા દિલ્હીનાં પૂર્વ ડેપ્યૂટી સીએમ મનીષ સિસોદિયાએ 28 ફેબ્રુઆરીનાં તમામ વિભાગોથી રાજીનામું આપી દીધું હતું. હવે રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂએ તેમનું રાજીનામું સ્વીરારી લીધું છે. આ સાથે જ સત્યેંદ્ર જૈનનાં રાજીનામાનો પણ સ્વીકાર કર્યો છે. પહેલાં દિલ્હીનાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે બંનેનું રાજીનામું સ્વીકાર્યું હતું. હવે રાષ્ટ્રપતિએ પણ તેનો સ્વીકાર કર્યો છે.
રાષ્ટ્રપતિએ સ્વીકાર્યું રાજીનામું
ગૃહમંત્રાલય તરફથી જાહેર કરવામાં આવેલી નોટિફિકેશનમાં આ માહિતી આપવામાં આવી છે. દિલ્હીની Excise policy ભ્રષ્ટાચારમાં અટવાયેલા મનીષ સિસોદિયાની ધરપકડ 26 ફેબ્રુઆરીનાં રોજ કરવામાં આવી હતી. 28 ફેબ્રુઆરીનાં મનીષ સિસોદિયા અને સત્યેન્દ્ર જૈન બંનેએ પોતાના પદથી રાજીનામું આપી દીધું હતું. રાષ્ટ્રપતિએ સિસોદિયાની સાથે કાયદા અને સ્વાસ્થ્ય મંત્રી સત્યેંદ્ર જૈનનાં રાજીનામાનો પણ સ્વીકાર કરી લીધો છે.
નવા 2 મંત્રીઓનાં નામ જાહેર
મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનાં પ્રસ્તાવ પર દેશનાં રાષ્ટ્રપતિએ આજે સહી કરી છે. નવા 2 મંત્રીઓમાં આમ આદમી પાર્ટીનાં વિધાયક સૌરભ ભારદ્વાજ અને આતિશીનાં નામ શામેલ હતાં અને તેમના નામનો સ્વીકાર રાષ્ટ્રપતિ મુર્મૂએ કર્યો છે. ગૃહમંત્રાલયે જાહેર કરેલી નોટિફિકેશન અનુસાર રાષ્ટ્રપતિ, દિલ્હીનાં મુખ્યમંત્રીની સલાહ પર આતિશીને તેમના શપથ ગ્રહણ કરવાની તારીખથી રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્ર દિલ્હીમાં મંત્રીનાં રૂપમાં નિયુક્ત કરે છે. જ્યારે બીજી નોટિફિકેશનમાં લખ્યું કે રાષ્ટ્રપતિ, દિલ્હીનાં મુખ્યમંત્રીની સલાહ પર સૌરભ ભારદ્વાજને તેના શપથગ્રહણ શપથ ગ્રહણ કરવાની તારીખથી રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્ર દિલ્હીમાં મંત્રીનાં રૂપમાં નિયુક્ત કરે છે.
અરવિંદ કેજરીવાલે સ્થિતિ જણાવી દયનીય
સત્યેંદ્ર જૈન લાંબા સમયથી મની લોન્ડેરિંગનાં કેસમાં તિહાડ જેલમાં બંધ છે. મુખ્યમંત્રી કેજરીવાલે મનીષ સિસોદિયાની સાથે તેમનું રાજીનામું પણ મોકલ્યું હતું. LGએ બંનેનાં રાજીનામાનો પહેલા જ સ્વીકાર કર્યો હતો અને હવે રાષ્ટ્રપતિએ પણ રાજીનામું સ્વીકાર્યું છે. દિલ્હીનાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનું કહેવું છે કે જે પણ સારા કામો કરી રહ્યાં છે તેની ધરપકડ કરવામાં આવી રહી છે. જ્યારે દેશને લૂંટનારા બચીને નિકળી રહ્યાં છે. તેમણે દેશની સ્થિતિને દયનીય જણાવી.