અરવલ્લીના ખંભીસર ગામમાં વરઘોડા મામલે થયેલા વિવાદ બાદ આજે આખરે વાજતે ગાજતે બેન્ડવાજા સાથે વરઘોડો નીકળ્યો હતો. અને બાદમાં 500 મીટર દૂર ઉભેલી બસ સુધી વરઘોડો પહોંચ્યો હતો. વરઘોડામાં પોલીસનો ચાંપતો બંદોબસ્ત હતો. તો ડ્રોન દ્વારા પર વરઘોડા પર નજર રાખવામાં આવી રહી હતી.