અમદાવાદથી કેવડિયા વચ્ચે ચાલતા સી-પ્લેન સેવાને લઈને સારા સમાચાર સામે આવી રહ્યાં છે. ઉડ્ડયન મંત્રી પૂર્ણેશ મોદીએ જણાવ્યું કે, ટૂંક સમયમાં પુનઃ સી-પ્લેન સેવા શરૂ કરાશે
કેવડિયામાં 400 દિવસથી ઠપ સી-પ્લેન સેવા ફરી શરૂ થશે
નવા રંગરૂપ સાથે સી-પ્લેન કરવામાં આવશે શરૂ
ઉડ્ડયન મંત્રી પૂર્ણેશ મોદીએ આપી માહિતી
અમદાવાદથી કેવડિયા વચ્ચે ચાલતી સી-પ્લેન સેવા ગત 400 દિવસથી ઠપ્પ છે, ત્યારે સી-પ્લેનને લઇ સારા સમાચાર આવી રહ્યા છે. ઉડ્ડયન મંત્રી પૂર્ણેશ મોદીએ ફરી સી-પ્લેન શરૂ થવાની માહિતી આપતાં કહ્યું કે, સી-પ્લેન સેવા ટૂંક સમયમાં નવા રંગ-રૂપ સાથે પુનઃ શરૂ કરવામાં આવશે.
અમદાવાદથી કેવડિયા ફરી સી-પ્લેન સેવા ચાલુ થશે
અમદાવાદથી કેવડિયા વચ્ચે ચાલતી સી-પ્લેન સેવા ગત 400 દિવસથી ઠપ છે, ત્યારે સી-પ્લેનને લઇ સારા સમાચાર આવી રહ્યા છે. ઉડ્ડયન મંત્રી પૂર્ણેશ મોદીએ ફરી સી-પ્લેન શરૂ થવાની માહિતી આપી છે. તેમણે કહ્યું કે, સી-પ્લેન સેવા શરૂ કરવા માટે વર્ક ઓર્ડર પણ આપી દેવામાં આવ્યો છે. નવા રંગ-રૂપ સાથે સી-પ્લેન સેવા ફરી શરૂ કરવામાં આવશે.ઉલ્લેખનીય છે કે, ઉનાળાનું વેકેશન ચાલુ થઈ ગયું છે અને પ્રવાસીઓએ સી-પ્લેનમાં ફરવાની મઝા માણવા આતુર છે.ત્યારે આ સી-પ્લેન વહેલી શરૂ કરાય એવી માંગ પ્રવાસીઓ કરી રહયા છે.
ઉડ્ડયન મંત્રી પૂર્ણેશ મોદીએ સી-પ્લેન શરૂ થવાની માહિતી આપી
મહત્વનું છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના બે ડ્રીમ પ્રોજેકટ, એક સી-પ્લેન અને બીજો દેશમાંથી પ્રવાસીઓને કેવડિયા લાવતી ટ્રેન બંને પાછળ 1000 કરોડથી વધુ ખર્ચ કરવામાં આવ્યો હતો. ગત 31 ઓક્ટોબર 2020ના રોજ લોકાર્પણ બાદ કોઇક કારણોસર સી- પ્લેનની ટ્રીપ બંધ થઇ હતી. જે બાદ એક મહિના પછી શરૂ કરવામાં આવ્યું હતું. જે પુનઃ 6 ફેબ્રુઆરી 21 માં સેવા બંધ થઇ હતી. ત્યારે હાલ ઉડ્ડ઼યનમંત્રી પૂર્ણેશ મોદી દ્વારા સી-પ્લેન માટે વર્કઓડર આપવાની જાહેરાત કર્યા બાદ સૌ કોઈ આનંદમાં પ્રવર્તી રહ્યો છે. આમ સી-પ્લેન શરૂ થતાં જ કેવડિયા ખાતે પ્રવાસીઓને વધુ એક રોમાંચની સફરનો લહાવો મળશે