મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગાંધીનગર સ્થિત ડીઆરડીઓ દ્વારા તૈયાર કરવામાં આવનાર હોસ્પિટલની મુલાકાત લીધી તે દરમયિાન મીડિયા કર્મીઓ સાથે પત્રકાર પરિષદ યોજી
ગાંધીનગર ખાતે DRDO દ્વારા બનાવવામાં આવેલી હોસ્પિટલની મુખ્યમંત્રી વિજયરૂપાણીએ મુલાકાત લીધી તે સમયે તેમણે પત્રકારો સાથે વાતચીત કરી હતી તેમણે જણાવ્યું કે ગુજરાતમાં કોરોના કેસ ઘટી રહ્યા છે તે સારી બાબત છે અગાઉ કોરોના કેસની સંખ્યા હાઈ પીક પર હતી હાલ માત્ર બે થી ત્રણ હજાર કોરોના કેસ આવી રહ્યા છે, પરતું કોરોનાની ત્રીજી લહેર આવી શકે છે તે માટે અત્યારથી આયોજન કરવામાં આવ્યું છે.
હોસ્પિટલમાં 225 ICU બેડ પણ તૈયાર કરાયા
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ DRDOની હોસ્પિટલની મુલાકાત દરમિયાન હોસ્પિટલમાં સુવિધાઓનું નિરીક્ષણ કર્યું, તે દરમિયાન પત્રકાર પરિષદને સંબોધિ હતી જેમાં તેમણે જણાવ્યું હતું કે ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે ઓક્સિજન પ્લાન્ટ તૈયાર કરવામાં આવ્યો છે. સંભિવત ત્રીજી લહેરની અસરને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા તૈયારીઓ કરાઈ રહી છે, મહાત્મા મંદિર ખાતે 850 બેડની આધુનિક સુવિધાથી સજ્જ હોસ્પિટલ પણ તૈયાર કરવામાં આવી છે. હોસ્પિટલમાં 225 ICU બેડ પણ તૈયાર કરાયા છે.
લોકો વેક્સિન માટે જાગૃત બન્યા
વેક્સિનેશન પ્રક્રિયાને લઈને પણ મુખ્યમંત્રી વિજય રૂપાણીને જણાવ્યું હતું લોકો વેક્સિન લેવા માટે આગળ આવી રહ્યા છે લોકો જાગૃત થયા છે, 18 થી 44 વયના લોકો માટે વેક્સિન એ રાજ્ય સરકારને ઉપલબ્ધ કરાવવાની હોય છે જ્યારે 45થી વધુ ઉંમર ધરાવતા લોકો માટે કેન્દ્ર સરકાર દ્વારા વેક્સિન ઉપલબ્ધ કરાવે છે.