ચીન અને ભારતની વચ્ચે લદ્દાખના ગલવાન નદી વિસ્તારમાં તણાવ વધુ ઉગ્ર બન્યો છે. ઘણા રાઉન્ડની વાતચીત છતાં પણ કોઇ પરિણામ આવ્યું નથી. અમેરિકા સાથે પણ તણાવ વધી રહ્યો છે ત્યારે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે સેનાને યુદ્ધની તૈયારી કરવા આદેશ આપ્યો છે.
ભારત-ચીન વચ્ચે તણાવ વધુ ઉગ્ર બન્યો
શી જિનપિંગે ચીનની સેનાને કર્યો આદેશ
યુદ્ધ જેવી સ્થિતિ માટે તૈયાર રહેવા આદેશ
ઉલ્લેખનીય છે કે, મંગળવારે મળેલી સેન્ટ્રલ મિલિટ્રી કમિશનની બેઠકમાં ચિનપિંગે કહ્યું કે પીપુલ્સ લિબરેશન આર્મીના સૈનિકોની તાલીમને વધારવાનો આદેશ કર્યો છે અને સેનાને યુદ્ધ માટે તૈયાર રહેવા આદેશ કર્યો છે.
ચીનના રાષ્ટ્રપતિએ ભાષણમાં અમેરિકાનો કર્યો ઉલ્લેખ
આ સાથે જ ચીનના રાષ્ટ્રપતિએ પોતાના ભાષણમાં અમેરિકા સાથે વધી રહેલા તણાવનો પણ ઉલ્લેખ કર્યો. ઉપરાંત તાઇવાનના નેતાઓ સાથે વાતચીત અને ડિપ્લોમસીને વધારવાની પણ વાત કરી. વધુમાં કહ્યું કે જરૂરત પડશે તો તાઇવાન વિરૂદ્ધ પણ બળપ્રયોગ કરાશે. હોંગકોંગ અંગે જિંનપિંગે કહ્યું કે નવા કાયદા દ્વારા લોકતંત્રના સમર્થક આંદોલનકારીઓ પર લગામ કસાશે.
ચીનની ધમકીને લઇને પૂર્વ સેના પ્રમુખે પણ ઉચ્ચારી ધમકી
મહત્વનું છે કે કોરોના વાયરસની મહામારીને કારણે ચીનના અમેરિકા અને ઓસ્ટ્રેલિયા સાથે પણ તનાવ ચરણ સીમા પર છે. તો બીજી તરફ ચીનની ધમકીને લઇ પૂર્વ સેના પ્રમુખ વી.કે.સિંહે પણ ચીમકી ઉચ્ચારી છે.
અમે દરેક સ્થિતિનો સામના કરવા માટે તૈયાર છીએ
પૂર્વ સેના પ્રમુખે કહ્યું કે ચીન અત્યારે કોરોના પરથી દુનિયાનું ધ્યાન ભટકાવવા માંગે છે. જેથી ભારત સાથે વિવાદમાં ઉતર્યું છે. એટલું જ નહીં ચીન અત્યારે વૈશ્વિક સમુદાયથી અલગ પડી ગયું હોવાથી તેના પેટમાં તેલ રેડાયું હોવાનું પણ જણાવ્યું. સાથે જ કહ્યું કે અમે દરેક સ્થિતિનો સામના કરવા માટે તૈયાર છીએ.