રાજ્યમાં 10 એપ્રિલે પોરબંદરના માધવપુરમાં યોજાવા જઇ રહેલા મેળાને લઇને તડામાર તૈયારીઓ શરૂ કરી દેવાઇ છે. જેમાં રાષ્ટ્રપતિથી માંડીને અનેક મહાનુભવો ઉપસ્થિત રહેશે.
આ વર્ષે પોરબંદરના માધવપુરમાં યોજાશે ભવ્યાતિભવ્ય મેળો
મેળાના ઉદ્ઘાટનમાં રાષ્ટ્રપતિ અને રાજ્યનાં ગવર્નર રહેશે ઉપસ્થિત
વિવિધ રાજ્યોના કલાકારો રજૂ કરશે સાંસ્કૃતિક કાર્યક્રમો
રાજ્યમાં કોરોનાના કેસો હવે ઘટી રહ્યાં છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા વિશેષ છૂટછાટો આપી દેવાઇ છે. ત્યારે આ વર્ષે પોરબંદરના માધવપુરમાં 10 એપ્રિલના રોજ મેળો યોજાવા જઇ રહ્યો છે. જેને લઇને તડામાર તૈયારીઓ શરૂ કરી દેવાઇ છે. માધવપુરના આ મેળામાં અનેક મહાનુભાવો પણ ઉપસ્થિત રહેશે. 10 એપ્રિલે યોજાવા જઇ રહેલા આ મેળાના ઉદ્ઘાટનમાં ખુદ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને રાજ્યના રાજ્યપાલ ઉપસ્થિત રહેશે.
તદુપરાંત રાજ્યના મુખ્યમંત્રી અને મેઘાલયના મુખ્યમંત્રી પણ ઉપસ્થિત રહેશે. 5 દિવસ સુધી યોજાનારા આ મેળામાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાશે. ગુજરાત, મેઘાલય, મણિપુર, સિક્કિમના કલાકારો આ મેળામાં પોતાની આગવી કલા રજૂ કરશે. અસમ, અરુણાચલ પ્રદેશ, મિઝોરમ અને ત્રિપુરાના કલાકારો પણ આ મેળામાં સામેલ થશે.
તમને જણાવી દઇએ કે, દેશના પ્રથમ નાગરિક એટલે કે આપણાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ફરી વાર ગુજરાતના પ્રવાસે છે. ત્યારે દર વખતની જેમ રાષ્ટ્રપતિના પ્રવાસમાં સૌરાષ્ટ્રને વિશેષ મહત્વ આપવામાં આવે છે. ત્યારે ફરી વાર રાષ્ટ્રપતિ કોવિંદ ગુજરાત અને એમાંય ખાસ કરીને સૌરાષ્ટ્રના પ્રવાસે આવી રહ્યાં હોવાથી તેઓ દ્વારકાધીશ મંદિર અને માધવપુરના મેળામાં ઉપસ્થિત રહેશે.
10 એપ્રિલના દ્વારકાધીશ મંદિરે તો 13 એપ્રિલના રોજ રૂક્ષ્મણી વિવાહમાં થશે સામેલ
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનું ફરી સૌરાષ્ટ્રમાં આગમન થશે. 10 એપ્રિલના દ્વારકાધીશ મંદિરે રાષ્ટ્રપતિ શિશ ઝુકાવશે તેમજ 13 એપ્રિલના રૂક્ષ્મણી વિવાહમાં અને માધવપુરના મેળામાં પણ ઉપસ્થિત રહેશે. રાષ્ટ્રપતિના આ પ્રવાસને લઈ દ્વારકા અને માધવપુરમાં તંત્ર ખાસ તૈયારી કરવામાં જોતરાઈ ગયું છે.
અગાઉ ઓકટોબરમાં ગુજરાત પ્રવાસે આવ્યાં હતા રાષ્ટ્રપતિ
આ પહેલા ગત 29 ઓક્ટોબર 2021ને શુક્રવારે ભાવનગર જિલ્લાની મુલાકાત લીધી હતી. આ પ્રવાસ દરમિયાન મોરારી બાપુની મુલાકાત લીધી હતી ભાવનગર ખાતે આવાસ યોજનાનું લોકાર્પણ કર્યું હતું. ગુજરાતના ત્રણ દિવસના કાર્યક્રમમાં તેઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબાની પણ મુલાકાત કરી હતી.
જાણો શું છે આ મેળાનો ઈતિહાસ ?
પોરબંદર જિલ્લાના માધવપુર ગામ આ લોકમેળો દર વર્ષે ચૈત્ર સુદ નોમથી સતત પાંચ દિવસ સુધી યોજાય છે. એક લોકવાયકા પ્રમાણે ભગવાન કૃષ્ણ સ્વયં રુકમણીની વિનંતી તેમનું અપહરણ કરી અહીં મંદિરમાં આવી એમની સાથે પરણ્યા હતા. તે પ્રસંગની યાદમાં દર વર્ષે અહીં માધવરાયનો મેળો યોજવામાં આવે છે.
જાણો શું હોય છે મેળાનું મહત્વ?
કૃષ્ણ અને રુકમણી ના વિવાહ પ્રસંગની યાદમાં અહી લગ્ન અંગેની ગણેશ સ્થાપના, મંડપ વિધિ, વરઘોડો, સ્વયંવર વિધિ વગેરે પ્રસંગો અહીં વિધિવત રીતે ઉજવાય છે. પ્રથમ દિવસે ગણેશનીની સ્થાપના કરી લગ્નપત્રિકઓા મોકલવમાં આવે છે. પછી કૃષ્ણની ભવ્ય જાન પણ જોડાય છે.આ મેળામાં કચ્છથી ‘મેર’ જાતિના લોકો વિશેષ રીતે જોડાય છે, તેઓ તેમના સજાવેલા ઊંટ લઈને આવતા હોય છે. કૃષ્ણની જાન વખતે લોકભક્તિ અને કીર્તન કરે છે તથા રાસ રમે છે.
— Dr Mansukh Mandaviya (@mansukhmandviya) March 27, 2022
મન કી બાતમાં માધવપુરના મેળાને કર્યો હતો યાદ
‘માધવપુર મેળો’ ગુજરાતના પોરબંદરના સમુદ્ર પાસે માધવપુર ગામમાં લાગે છે. પરંતુ તેનો હિન્દુસ્તાનના પૂર્વીય છેડા સાથે પણ સંબંધ જોડાય છે. તમે વિચારતા હશો કે આવું કઈ રીતે સંભવ છે? તો તેનો પણ ઉત્તર એક પૌરાણિક કથામાં મળે છે. કહેવાય છે કે હજારો વર્ષ પહેલાં ભગવાન શ્રી કૃષ્ણનો વિવાહ પૂર્વોત્તરનાં રાજકુમારી રુક્મિણી સાથે થયો હતો. આ વિવાહ પોરબંદરના માધવપુરમાં સંપન્ન થયો અને આ વિવાહના પ્રતીક રૂપે આજે પણ ત્યાં માધવપુર મેળો યોજાય છે. પૂર્વ અને પશ્ચિમનો આ ગાઢ સંબંધ, આપણો વારસો છે.