BCCIએ ODI વર્લ્ડ કપ જીતવા માટે એક પ્લાન બનાવ્યો છે. ભારતમાં આ વર્ષે ઓક્ટોબર-નવેમ્બરમાં વર્લ્ડ કપ મેચો યોજાવાની છે.
BCCIએ ODI વર્લ્ડ કપ જીતવા માટે એક પ્લાન બનાવ્યો છે
20 ખેલાડીઓનો પૂલ તૈયાર કરવામાં આવશે
રોહિત શર્માને કેપ્ટન જ્યારે હાર્દિક પંડ્યાને વાઇસ કેપ્ટન
નવું વર્ષ શરૂ થઈ ગયું છે અને ટીમ ઈન્ડિયા પણ તેના નવા મિશનની રાહ જોઈ રહી છે. વર્ષ 2022માં ટીમ ઈન્ડિયાએ ફરી એકવાર વર્લ્ડ કપ જીતવાની તક ગુમાવી અને એ પછી તેની સાથે કેટલીક બીજી સમસ્યાઓ પણ સામે આવી. આ બધાની વચ્ચે બીસીસીઆઈએ વર્ષના પહેલા જ દિવસે એટલે કે રવિવારે એક મહત્વપૂર્ણ બેઠક યોજી હતી જેમાં ટીમ ઈન્ડિયાના પ્રદર્શન, રોડમેપ અને અન્ય ચિંતાઓ પર ચર્ચા કરવામાં આવી હતી આ સાથે જ BCCIએ ODI વર્લ્ડ કપ જીતવા માટે એક પ્લાન બનાવ્યો છે. ભારતમાં આ વર્ષે ઓક્ટોબર-નવેમ્બરમાં વર્લ્ડ કપ મેચો યોજાવાની છે.
As we inch closer to welcoming the New Year 🎊, let’s take a look back at some of the 🔝 moments for #TeamIndia in 2️⃣0️⃣2️⃣2️⃣ 🙌🏻 pic.twitter.com/8d6OFCX0u6
20 ખેલાડીઓનો પૂલ તૈયાર કરવામાં આવશે
રવિવારે યોજાયેલી સમીક્ષા બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે 20 ખેલાડીઓનો પૂલ તૈયાર કરવામાં આવશે અને તેમને વર્લ્ડ કપ પહેલા તક આપવામાં આવશે. તમને જણાવી દઈએ કે 10મી જાન્યુઆરીથી ટીમ ઈન્ડિયા શ્રીલંકા સાથે આ વર્ષની પહેલી વનડે સીરિઝ રમવાની છે અને એ ટીમમાં ટીમમાં કુલ 16 ખેલાડીઓની પસંદગી કરવામાં આવી છે. એ જોઈને એવું માનવામાં આવે છે કે આ ખેલાડીઓને આગળ પણ તક આપવામાં આવી શકે છે. ટીમ ઈન્ડિયા 2011 થી વર્લ્ડ કપનો ખિતાબ જીતવામાં સફળ રહી નથી અને આ સાથે જ 2013 પછી ટીમે એક પણ ICC ટ્રોફી પર કબજો કર્યો નથી.
રોહિત શર્માને કેપ્ટન જ્યારે હાર્દિક પંડ્યાને વાઇસ કેપ્ટન
10 મી જાન્યુઆરીના યોજાયેલ શ્રીલંકા સામેની વનડે સીરિઝ માટે રોહિત શર્માને કેપ્ટન જ્યારે હાર્દિક પંડ્યાને વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે. સાથે જ જણાવી દઈએ કે રવિન્દ્ર જાડેજા અને જસપ્રિત બુમરાહને ટીમમાં સ્થાન મળ્યું નથી. જો કકે આ બંનેનું ટીમમાં સ્થાન નિશ્ચિત છે. 18 જાન્યુઆરીથી ન્યૂઝીલેન્ડ સામેની વનડે સીરિઝ માટે જાડેજાની પસંદગી થઈ શકે છે. આ સાથે જ વિકેટ કીપર બેટ્સમેન રિષભ પંત હજુ પણ ઈજાગ્રસ્ત છે પણ વર્લ્ડ કપમાં હજુ 10 મહિના બાકી છે.
એક સીટ માટે ઘણા દાવેદારો
આ રીતે ODI વર્લ્ડ કપની યાદીમાં કુલ 19 ખેલાડીઓ જોડાયા પણ એક જગયા હજુ ખાલી છે. એ મુજબ એક જગ્યા માટે ઘણા દાવેદારો છે જેમાં સંજુ સેમસનથી લઈને ઋતુરાજ ગાયવાડ અને આર અશ્વિનથી ભુવનેશ્વર કુમારનો સમાવેશ થાય છે. આ સાથે જ ભારતીય સ્પિન પિચ પર અશ્વિન મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે. જો પંત વર્લ્ડ કપ સુધી ફિટ ન થયો તો તેની જગ્યાએ સંજુ સેમસનને વિકેટકીપર બનાવવામાં આવી શકે છે. જો કે શ્રીલંકા સામેની વનડે સીરિઝમાં તેને ટીમમાં સ્થાન આપવામાં આવ્યું નહતું. આ 20 ખેલાડીઓના પુલમાંથી વિશ્વકપ માટે 15 સભ્યોની ટીમમાં 7ની પસંદગી લગભગ નિશ્ચિત છે.
કોહલીથી લઈને રોહિત સુધી
રોહિત શર્મા ઉપરાંત વિરાટ કોહલી, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, જસપ્રીત બુમરાહ, યુઝવેન્દ્ર ચહલ અને શ્રેયસ ઐયરની વર્લ્ડ કપ માટે પસંદગી નિશ્ચિત છે. જો કે જાડેજા અને બુમરાહની ફિટનેસ પર સવાલો ઉઠી રહ્યા છે પણ તેઓએ ભૂતકાળમાં પણ ટીમ માટે સારું પ્રદર્શન કર્યું છે. આવી સ્થિતિમાં જો બંને ફિટ રહેશે તો તેઓ ટૂર્નામેન્ટ માટે ટીમમાં જગ્યા બનાવી શકશે. આ સાથે જ બોર્ડની બેઠક બાદ એ સ્પષ્ટ થઈ ગયું છે કે વર્લ્ડ કપ સુધી રોહિતની કેપ્ટનશિપ પર કોઈ ખતરો નથી.